ગુજરાત કોંગ્રેસના ક્ષત્રિય કદાવર નેતા રાજ્યસભાના સાંસદ અને બિહારના પ્રભારી શક્તિસિંહ ગોહિલ એ ટ્વીટ કરી બિહારના પ્રભારી ના પદ પરથી તેમને મુક્તિ આપવામાં આવે તેવી રજૂઆત તેમણે હાઇકમાન્ડ સમક્ષ કરી છે છેલ્લા ઘણા સમયથી તેમની તબિયત નાદુરસ્ત રહે છે જેના કારણે તેમણે તેમનો પદભાર ઓછો કરવા માટે રજૂઆત કરી છે ઉલ્લેખનીય છે કે થોડા સમય અગાઉ તેમને કોરોના નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો ત્યારબાદ અન્ય કેટલીક બીમારીઓ તેમને થઈ રહી છે જેના કારણે તેઓ તેમનો પદભાર ઓછો કરવા માંગે છે ત્યારે તેનેજ લઈને તેમણે આજે ટ્વીટ્ દ્વારા તેમનો પદ ભાર ઓછો કરવા રજૂઆત કરી છે.