- કચ્છ ભાજપના ઉડ્યા ધજાગરા
- કચ્છ ભાજપમાં જૂથવાદ ચરમસીમા
- તારાચંદ છેડાએ જૂથવાદનો કર્યો સ્વીકાર
ગુજરાત ભાજપના નેતાઓમાં કયાંક ણે કયાંક મવોડી મંડળને લઈને અસંતોષ જોવા મળી રહ્યો છે. પછી તે ધારાસભ્ય હોય સાંસદ હોય કે પછી પૂર્વ ધારાસભ્ય કે નેતા કે કાર્યકર્તા. છેલ્લા કેટલાય દિવસોથી ભાજપના નેતાઓના અસંતોષ આંખે ઉડીને વળગી રહ્યો છે. અને પ્રજાની સામે આવી રહ્યો છે.
કચ્છ ભાજપનો આંતરિક જૂથવાદ ચરમસીમાએ છે તેવો સ્વીકાર પૂર્વ રાજ્યમંત્રી તારાચંદ છેડાએ કર્યો છે. અખબારી યાદી દ્વારા તારાચંડ છેડાએ ભાજપમાં આંતરિક વિખવાદ હોવાની વાતને મહોર લગાવી છે. પૂર્વ રાજયમંત્રીના નિવેદનથી ભાજપ ક્ષોભજનક સ્થિતિમાં મુકાઈ છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના ધારાસભ્ય કેતન ઈનામદાર, મધુ શ્રીવાસ્તવ, ભાવનગર ભાજપના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર ત્રીવેદી ભાજપ સાથે નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. ભાજપમાં આ અંતરીક બળવાના મૂળ ક્યાંથી રોપાયા છે. તે તો ખબર નથી પણ રોજ કોઈને કોઈ પોતાની નારાજગી વ્યક્ત કરે છે ગુજરાતમાં સત્તાધીન ભાજપ સરકાર અને તેમાય ખાસ કરીને સરકારના મવોડી મંડળ માટે લાલબત્તી સમાન છે. જે દર્શાવે છે કે, ભાજપમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.