World News/ પાકિસ્તાનમાં લશ્કર-એ-તૈયબાના વધુ એક કમાન્ડરનું શંકાસ્પદ મોત, સંગઠનમાં ચિંતા

Pakistanની રાજધાની ઇસ્લામાબાદમાં લશ્કર-એ-તૈયબાના સિનિયર કમાન્ડર કારી સઈદનું શંકાસ્પદ સ્થિતિમાં મોત થયું છે. જાણો સંપૂર્ણ અહેવાલ.

international Top Stories World
Pakistan

Lashkar-e-Taiba Commander Qari Saeed Abdul Aziz Death:  પાકિસ્તાનમાં આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા વધુ એક સિનિયર કમાન્ડરના શંકાસ્પદ સંજોગોમાં મોતના સમાચાર સામે આવ્યા છે. ઘટના પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

મળતી માહિતી પ્રમાણે કારી સઈદ અબ્દુલ અઝીઝ નામનો લશ્કર-એ-તૈયબાનો કમાન્ડર નમાજ માટે કુબા મસ્જિદ પહોંચ્યો હતો. મસ્જિદના ગેટ પાસે અચાનક તે નીચે પડી ગયો હતો. ત્યારબાદ તેનું મોત થયું હોવાનું સામે આવ્યું છે. હાલમાં તેના મોતનું ચોક્કસ કારણ સ્પષ્ટ થયું નથી. અહેવાલો અનુસાર, મસ્જિદ પહોંચતા પહેલાં તેણે એક અજાણ્યા રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું. જોકે, તેના મોત પાછળનું સાચું કારણ શું છે તે તપાસ બાદ જ સ્પષ્ટ થઈ શકશે.

કારી સઈદની સંગઠનમાં મહત્વની ભૂમિકા

કારી સઈદ અબ્દુલ અઝીઝ લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલો મહત્વનો કમાન્ડર હોવાનું કહેવાય છે. તેની જવાબદારી ખાસ કરીને જમ્મુ-કાશ્મીરમાં માર્યા ગયેલા આતંકવાદીઓના પરિવારોને મદદ પહોંચાડતા વિભાગ સાથે જોડાયેલી હોવાનું જણાવવામાં આવ્યું છે. તેના અચાનક મોતથી લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા લોકોમાં ફરી ચિંતા ઊભી થઈ છે.

લશ્કરે જ 30થી વધુ સભ્યોના મોતનો દાવો કર્યો હતો

આ ઘટના એવા સમયે સામે આવી છે જ્યારે લશ્કર-એ-તૈયબા Pakistan સાથે જોડાયેલા રિઝવાન હનીફ નામના એક વ્યક્તિએ તાજેતરમાં સંગઠનના અનેક સભ્યોના મોત અંગે દાવો કર્યો હતો. એક વીડિયોમાં તેણે જણાવ્યું હોવાનું કહેવાય છે કે છેલ્લા ત્રણથી ચાર વર્ષ દરમિયાન પાકિસ્તાન(Pakistan) અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરના અલગ-અલગ વિસ્તારોમાં સંગઠન સાથે જોડાયેલા 30થી વધુ લોકો માર્યા ગયા છે. આ દાવામાં પેશાવર, કરાચી, રાવલપિંડી, રાવલાકોટ અને મુઝફ્ફરાબાદ જેવા વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

‘અજાણ્યા હુમલાખોરો’ની ચર્ચા ફરી તેજ

પાકિસ્તાનમાં(Pakistan) છેલ્લા કેટલાક વર્ષોથી આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા લોકોની શંકાસ્પદ હત્યાઓને લઈને ‘અજાણ્યા હુમલાખોરો’ની ચર્ચા ચાલી રહી છે. કેટલાક પાકિસ્તાની(Pakistan) સુરક્ષા વર્તુળોમાં આ હત્યાઓ પાછળ ભારતનો હાથ હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે, જોકે આવા દાવાઓના સ્વતંત્ર પુરાવા જાહેરમાં સ્પષ્ટ નથી. લશ્કર-એ-તૈયબા પર આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે જોડાણને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રતિબંધો લાગેલા છે. હવે કારી સઈદ અબ્દુલ અઝીઝના મોતનું કારણ શું હતું અને તેની પાછળ કોઈ ષડયંત્ર હતું કે નહીં, તે અંગે તપાસ બાદ જ વધુ માહિતી સામે આવશે.


આ પણ વાંચો:મોજતબા ખામેનેઈની તબિયતને લઈને અફવાઓ વચ્ચે સામે આવ્યો વીડિયો

આ પણ વાંચો:H-1B વિઝા ધારકોની મુશ્કેલી વધશે? અમેરિકામાં 60 દિવસની ગ્રેસ પિરિયડ પર મોટો નિર્ણય શક્ય

આ પણ વાંચો:બેંગકોકની સ્કૂલમાં ખૂની ખેલ; વિદ્યાર્થીએ દાદા-દાદીની હત્યા કરી સ્કૂલમાં કર્યો ગોળીબાર, 8ના મોત