Bollywood/ આ વર્ષે પણ જન્મદિવસની ઉજવણી નહીં કરે લતા મંગેશકર, જાણો શું છે કારણ…..

ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરે કહ્યું કે, હું ઈચ્છુ છું કે આ વાયરસ આપણા જીવનમાંથી હંમેશા માટે જતો રહે.

Entertainment
Untitled 392 આ વર્ષે પણ જન્મદિવસની ઉજવણી નહીં કરે લતા મંગેશકર, જાણો શું છે કારણ.....

લતા મંગેશકરને કોણ નથી ઓળખતું? દિગ્ગજ લતા મંગેશકરે પોતાની કળાથી દેશ જ નહીં, દુનિયાભરમાં પ્રસિદ્ધિ મેળવી છે. 28મી સપ્ટેમ્બર, 2021ના રોજ લતા મંગેશકરનો 92મો જન્મદિવસ છે. દેશભરના લોકો લતા મંગેશકરને શુભકામનાઓ પાઠવી રહ્યા છે અને તેમના સારા સ્વાસ્થ્ય અને લાંબી આયુની કામના કરી રહ્યા છે. પરંતુ લતા મંગેશકર ગત વર્ષની જેમ આ વર્ષે પણ પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરે. લતા મંગેશકરે ઉજવણી ના કરવા પાછળનું કારણ પણ જણાવ્યું છે.

લતા મંગેશકર કોરોના વાયરસને કારણે પોતાના જન્મદિવસની ઉજવણી નહીં કરે. તેમણે કહ્યું છે કે, કોરોના મહામારીને એક વર્ષથી વધારે સમય થઈ ગયો છે. કોરોના વાયરસ આવ્યા પછી આ મારો બીજો જન્મદિવસ છે. આનાથી મોટી ભેટ કઈ હોઈ શકે કે મારા પરિવારના લોકો મારી સાથે છે. એવા પણ લોકો છે જેમણે એક વર્ષથી વધારે સમયથી પોતાના માતા-પિતા અથવા બાળકોના ચહેરા નથી જોયા. આવા સમયમાં કોણ કેક અને કેન્ડલ વિષે વિચારી શકે છે.

Untitled 391 આ વર્ષે પણ જન્મદિવસની ઉજવણી નહીં કરે લતા મંગેશકર, જાણો શું છે કારણ.....

 

ભારત રત્નથી સન્માનિત લતા મંગેશકરે કહ્યું કે, હું ઈચ્છુ છું કે આ વાયરસ આપણા જીવનમાંથી હંમેશા માટે જતો રહે. શક્ય છે કે કોરોના હવે જીવલેણ ના હોય, પણ તેના અવાર નવાર પાછા ફરવાથી ઘણાં લોકો ડિપ્રેશનમાં જતા રહ્યા છે. પાછલા દોઢ વર્ષમાં આપણા જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયા છે. આપણા સ્વાસ્થ્યને અને સ્વજનોના મહત્વને સમજીએ. પરિવાર સાથે પસાર કરવામાં આવેલી પ્રત્યેક ક્ષણ કિંમતી છે.

લતા મંગેશકરે જણાવ્યું કે, મારા ભાઈ, બહેન અને ભાભી મારી સાથે છે. મને લાગે છે કે હું ઘણી નસીબદાર છું. હું ઈચ્છુ છું કે મારા તમામ ફેન અને શુભચિંતક મને આ રીતે પ્રેમ કરતા રહે. આ તેમની શુભકાનાઓ છે જેના કારણે હું આટલી આગળ વધી શકુ છું. નોંધનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ લતા મંગેશકરને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી છે. નરેન્દ્ર મોદીએ લતા મંગેશકરને લતા દીદી તરીકે સંબોધ્યા છે અને તેમના લાંબા અને સ્વસ્થ જીવનની શુભકામનાઓ પાઠવી છે.

a 435 આ વર્ષે પણ જન્મદિવસની ઉજવણી નહીં કરે લતા મંગેશકર, જાણો શું છે કારણ.....