Bollywood/ કિરણ ખેરના મોતની ઉડી અફવાઓ, પતિ અનુપમ ખેરે હાથ જોડીને કહ્યું – ખોટા સમાચાર ન ફેલાવો

કિરણ ખેર બ્લડ કેન્સરની સારવાર લઈ રહી છે. શુક્રવારે તે પતિ અનુપમ ખેર સાથે કોવિડ રસીનો બીજો ડોઝ લેવા પહોંચી હતી. પરંતુ સાંજે કિરણના મોતની અફવાઓ અચાનક ઉડવા લાગી.

Trending Entertainment
A 84 કિરણ ખેરના મોતની ઉડી અફવાઓ, પતિ અનુપમ ખેરે હાથ જોડીને કહ્યું - ખોટા સમાચાર ન ફેલાવો

કિરણ ખેર બ્લડ કેન્સરની સારવાર લઈ રહી છે. શુક્રવારે તે પતિ અનુપમ ખેર સાથે કોવિડ રસીનો બીજો ડોઝ લેવા પહોંચી હતી. પરંતુ સાંજે કિરણના મોતની અફવાઓ અચાનક ઉડવા લાગી. લોકોએ સોશિયલ મીડિયા પર કિરણનો ફોટો શેર કરીને અભિનેત્રીને શ્રદ્ધાંજલિ આપવાનું શરૂ કર્યું. જોકે, અનુપમને જ્યારે આ વાતની જાણ થઈ ત્યારે તેણે તરત જ સોશિયલ મીડિયા પર સત્ય જણાવી દીધું.

અનુપમે ટ્વીટ કર્યું, ‘કિરણને લઈને કેટલીક અફવાઓ ઉડી રહી છે. તે બધી ખોટા છે. કિરણ એકદમ ઠીક છે, શુક્રવારે બપોરે પણ તેણે કોવિડની બીજી રસી લીધી છે. હું લોકોને વિનંતી કરું છું કે આવી નકારાત્મક સમાચાર ન ફેલાવો. આભાર, સલામત રહો.

રસીકરણ દરમિયાન અનુપમે ફોટા શેર કર્યા હતા જેમાં તેની માતા અને કિરણ ખેર પણ હતાં. કિરણે સફેદ સૂટ પહેરેલો હતો અને તેના ચહેરા પર માસ્ક હતું. આ દરમિયાન કિરણ ખૂબ બીમાર દેખાઈ રહી હતી.

આ પણ વાંચો :દેશને હવે નવા PM ની જરૂર છેઃ સ્વરા ભાસ્કર

અનુપમે ફોટા શેર કર્યા અને લખ્યું, ‘અમે કોવિડ રસીનો બીજો ડોઝ લગાવ્યો છે. મમ્મી સૌથી વધુ બહાદુર છે. ઓમ નમ: શિવાયના જાપ કરવાથી મને ઘણી મદદ મળી અને કદાચ કિરણ, ભાભી અને ભાઈ પણ. ઘરે રહીને રસી લગાવશે. ‘

ગયા મહિને જ અનુપમે કહ્યું હતું કે કિરણ, મલ્ટીપલ માયલોમા, બ્લડ કેન્સરથી પીડિત છે.

આ પણ વાંચો :કોરોનાની શિલ્પા શેટ્ટીના ઘરે એન્ટ્રી, પતિ-બાળકો અને સાસુ-સસરા થયા સંક્રમિત

આપને જણાવી દઈએ કે,  ભાજપ અધ્યક્ષે કહ્યું હતું કે કિરણને સારવાર દરમિયાન તેમના હાથમાં ફ્રેક્ચર થયું હતું, જે સારવાર દરમિયાન બહાર આવ્યું હતું કે તેમને મલ્ટીપલ માયલોમા નામની બીમારી છે.

આ પણ વાંચો :જાણીતા સિતાર વાદક દેબૂ ચૌધરી બાદ કોરોનાએ લીધો પુત્ર પ્રતીકનો ભોગ

કિરણની પ્રોફેશનલ લાઇફ વિશે વાત કરીએ તો વર્ષ 1990 માં તેણે સરદારી બેગમ ફિલ્મથી કારકિર્દીની શરૂઆત કરી હતી. કિરણે પહેલી જ ફિલ્મથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. તેને આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ મળ્યા. કિરણે તેની કારકિર્દીમાં ઘણા શ્રેષ્ઠ પાત્રો ભજવ્યાં છે. તેણે હંમેશાં કંઇક અલગ વસ્તુ પર કામ કરવાનો પ્રયાસ કર્યો છે. કિરણને રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો છે. ટીવી પર પણ કિરણે પોતાની અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે.

આ પણ વાંચો :વિરાટ અને અનુષ્કાએ કોરોના સંકટમાં દાન આપ્યા આટલા કરોડ રૂપિયા, જુઓ વીડિયો

kalmukho str 5 કિરણ ખેરના મોતની ઉડી અફવાઓ, પતિ અનુપમ ખેરે હાથ જોડીને કહ્યું - ખોટા સમાચાર ન ફેલાવો