દિલ્હી,
બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી છે કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે નહીં. માયાવતીએ બુધવારે જણાવ્યું હતું કે તેઓ લોકસભાની ચૂંટણી લડશે નહીં, પરંતુ સમગ્ર દેશમાં પાર્ટી માટે પ્રચાર કરશે. તેમણે કહ્યું હતું કે હવે જીતવા કરતા ગઠબંધનની સફળતા વધુ જરૂરી છે. માયાવતીએ જણાવ્યું હતું કે બસપાના આંદોલનના સામે વિરોધી વિવિધ પ્રકારનાં યુક્તિઓ અપનાવી રહ્યા છે.
બસપા સુપ્રીમોએ કહ્યું કે જો ચૂંટણી પછી કોઈ આવી પરિસ્થિતિ બને છે તો તે કોઈ પણ બેઠકને ખાલી કરવીને ચૂંટણી લડી શકે છે અને જીતી પણ શકે. તેમણે કહ્યું કે ભાજપને સત્તાથી ઉખાડીને ફેકવા માટે યુપીમાં બસપા, સપા અને આરએલડીના ગઠબંધન કરવામાં આવ્યું છે. હું આ ગઠબંધન માટે કોઈ પણ કિંમતે થોડું પણ નુકસાન થતા જોઈ શકતી નથી. તેથી મારી પોતાના જીતવા કરતા વધુ જરૂરી છે એક-એક બેઠક જીતાડવી છે.
માયાવતીએ કહ્યું કે દેશમાં ગરીબ, મજૂર, ખેડૂતો, બેરોજગાર, મહેનતકશ લોકો, અહંકારી બીજેપીથી પરેશાન છે. તેથી હવે આ સરકારને સત્તાથી ઉખાડી ફેકવાનો સમય આવી ગયો છે. હું મારા પક્ષના હિતને ધ્યાન રાખું છું, રાજયસભાથી પણ રાજીનામું આપ્યું હતું. હું ક્યારેય પણ સંસદમાં પસંદ કરી જઈ શકું છું. જણાવીએ કે માયાવતી ભૂવનેશ્વરથી લોકસભા ચૂંટણી માટે 2 એપ્રિલે અભિયાન શરૂ થશે.