Not Set/ આ ગામના યુવકોએ ગૌશાળામાં ઉભી કરી ઓક્સિજનની સુવિધા સાથે હોસ્પિટલ

ગીર સોમનાથ જિલ્લાના હરણાસા ગામના યુવકોએ ગામની ગૌશાળામાં ઓક્સિજનની સુવિધા સાથેની હંગામી હોસ્પિટલ કરીછે. જેમાં ગામના લોકો હેરાન ન થાય એ માટે ચેકઅપ, રીપોર્ટ સાથે દાખલ થવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

Gujarat Others Trending
krishna 1 આ ગામના યુવકોએ ગૌશાળામાં ઉભી કરી ઓક્સિજનની સુવિધા સાથે હોસ્પિટલ
  • ગીર સોમનાથના હરણાસા ગામના યુવકોની આરોગ્ય સેવાની પહેલ,
  • ગૌશાળામાં ઓક્સિજનની સુવિધાવાળા 8 સહિત 14 બેડની હોસ્પિટલ ચાલુ કરી
  • હોસ્પીટલમાં આવતા દર્દીઓને નિઃશુલ્ક સારવાર આપવામાં આવી રહી છે..
  • સારવાર પાછળ થતો ખર્ચ યુવાનો ફાળો એકત્ર કરી ભેગો કરી રહ્યા છે..

કોરોનાની બીજી લહેરમાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાની સારવાર પૂરતી ન થતી હોવાથી નોધારા બન્યા છે. ત્યારે ગ્રામલોકો આત્મનિર્ભર બની સ્વયં સારવારની સુવિધાઓ ઉભી કરી રહ્યા છે. આવું જ કંઈક ગીર સોમનાથ જિલ્લાના હરણાસા ગામના યુવકોએ કરી બતાવ્યું છે. જેમાં ગામની ગૌશાળામાં યુવાનો દ્વારા ઓક્સિજનની સુવિધા સાથેની હંગામી હોસ્પિટલ આજથી શરૂ કરવામાં આવી છે. જેમાં ગામના લોકો હેરાન ન થાય એ માટે ચેકઅપ, રીપોર્ટ સાથે દાખલ થવાની સુવિધા ઉભી કરવામાં આવી છે.

હરણાસા ગામના યુવાનો દ્વારા ગોકુળ ગૌશાળામાં નિઃશુલ્ક હોસ્પીટલની સેવા ચાલુ કરાઈ છે. ગામના યુવાનો દ્વારા દાખલ દર્દીઓ માટે ચા-નાસ્તો અને જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. તેમજ કોઈ દર્દી દાખલ થાય તો એક પણ રૂપિયો લીધા વગર લોક ફાળો કરીને યુવાનો સેવા યજ્ઞ આગળ ધપાવી રહ્યા છે.

krishna 2 આ ગામના યુવકોએ ગૌશાળામાં ઉભી કરી ઓક્સિજનની સુવિધા સાથે હોસ્પિટલ

ગૌશાળામાં શરૂ કરી હોસ્પિટલ…

ગૌશાળાના યુવાનો દ્વારા 8 બેડ ઓક્સીજનની સુવિધાવાળા અને 6 બેડ સામાન્ય મળી કુલ 14 બેડની સુવિધા સાથેની હંગામી હોસ્પિટલ ચાલુ કરવામાં આવી છે. જેમાં ડોક્ટરો દ્વારા પણ નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. આનંદપરા ગામના ડો.અજય છાત્રોડિય ( BAMS ) તથા નર્સિંગ સ્ટાફના સુભાષ નાઘેરા, ભીખા ભાઈ નાઘેરા, કૌશિક નાઘેરા નિઃશુલ્ક સેવા આપી રહ્યા છે. આ તબીબી સ્ટાફ સાથે ગામના 15 જેટલા યુવાનો ખડેપગે ઉભા રહી સેવા કરે છે. ગામમાંથી તપાસ માટે આવતા ગ્રામજનોને કોરોના ટેસ્ટ, બ્લડ રિપોર્ટ સહિત તમામ ટેસ્ટ કરવામાં આવે છે. તેમજ કોરોના ક્રિટિકલ દર્દીને જરૂર પડે તો દાખલ કરી સારવાર પણ આપવામાં આવે છે. ગામમાં વાડી વિસ્તારમાં રહેતા લોકો પાસે ગાડીની વ્યવસ્થા ન હોય તો તે પણ કરી આપી અનેરી સેવા કરવામાં આવે છે.

આ સેવાયજ્ઞ સાથે જોડાયેલ યુવકે જણાવેલ કે, વર્તમાન કોરોનાની બીજી લહેરમાં શહેરોમાં ક્યાંય બેડ મળતા ન હોવાથી કોરોનાના દર્દીઓને જ્યાં ત્યાં ભટકવું પડે છે. આ પરિસ્થિતિમાં સામાન્ય લક્ષણો ધરાવતા દર્દીઓની સ્થિતિ બગડે છે. અમારા ગામમાં પણ ઘણા લોકો કોરોનાના ટેસ્ટ કરાવવા અને પ્રાથમીક સારવાર મેળવવા હેરાન થયા હોવાથી અમોએ ઘરઆંગણે જ ગ્રામજનોને સારવાર મળે તે માટે ગૌશાળામાં હોસ્પીટલ શરૂ કરવાનો વિચાર કરી અમલ કર્યો છે. જેનો ગ્રામજનોને લાભ પણ મળી રહ્યો છે.

ગામડામાં ‘ટ્રીપલ ટી’ નિષ્ફળ રહ્યું છે. ત્યારે બીજી તરફ આરોપ એવો પણ છે કે, ગામડાઓમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના આયોજન મુજબ ટ્રીપલ ટી મુજબ કામ નથી થઈ રહ્યું. ગામડાઓમાં પુરતા પ્રમાણમાં ટેસ્ટિંગ કીટ નથી જેથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા શંકાસ્પદ દર્દીઓએ ટેસ્ટ કરાવ્યા વગર જ પરત ફરવું પડી રહ્યું છે. આમ, ટેસ્ટિંગ ન થવાના કારણે દર્દીઓનું ટ્રેકિંગ અને ટ્રરીટમેન્ટ પણ નથી થતું જેના કારણે ગામડાઓમાં વધુ સંક્રમણ ફેલાઈ રહ્યું છે.