સુરેન્દ્રનગર,
સુરેન્દ્રનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો અને કારમાં તોડફોડ કરી હતી. ઘટના છે ખમીસાણા દિગસર રોડ પરની કે જ્યાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યાંથી પસાર થતી કારમાં અસામાજિક તત્વોએ તોડફોડ કરી હતી. જો કે આ દરમિયાન કારમાં મહિલા સહિત અન્ય ત્રણ લોકો સવાર હતા. જો કે સદ્દનસીને તેમનો જીવ બચી ગયો હતો. આ ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા અને પોલીસને જાણ કરી હતી.