વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગુજરાતમાં 3 વર્ષ પૂર્વે ઘોઘા-દહેજ વચ્ચે ફેરી સર્વિસનો પ્રારંભ કરવામાં આવ્યો હતો, ત્યારે હવેભારત સરકાર દ્વારા દહેજ ઘોઘા દહેજ વચ્ચે ફરી નવી ફેસી સર્વિસ શરૂ કરવામાં આવી છે. આ ફેરીને ધ્યાનમાં રાખીને ઘોઘા અને દહેજની આસપાસના વિસ્તારોમાં બસ ડ્રોપ અને પીક ઉપ સુવિધા પણ રાખવામા આવેલ છે. આ ફેરી દરરોજ દહેજથી સવારે 10 વાગ્યે અને ઘોઘાથી બપોરે 3.30 વાગ્યે પ્રસ્થાન કરશે.
અંકલેશ્વર- દહેજથી પીકઅપ માટેના સ્થળો રહશે, વાલિયા ચોકડી, ઝાડેશ્વર ચોકડી, નર્મદા ચોકડી, એબીસી સર્કલ, શ્રવણ ચોકડી, દહેજ રોપેક્સ ટર્મિનલ તથા ઘોઘા-ભાવનગરથી પીકઅપ માટે ના સ્થળો રહશે, નિલમબાગ, જેલ સર્કલ, કાલીયાબીડ પાણીની ટાંકી, સંસ્કાર મંડળ, શિવાજી સર્કલ, ઘોઘા ફેરી ટર્મિનલ.
આ ફેરીના કોન્ટ્રાક્ટર એંગ્રીયા સીઇગલ લિમિટેડ છે
ફેરીનું એક તરફી જવાનું ભાડું પુખ્તવય માટે 350 રૂપિયા તથા 12 વર્ષથી નાના બાળકો માટે 250 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે. ટિકિટ બુકિંગ તેમજ વધારે જાણકારી માટે 96116 87788, 90229 07874નો સંપર્ક પણ કરી શકાશે તથા વધારે જાણકારી માટે www.seaeagleferry.com વેબસાઇટનો સંદર્ભ લઇ શકાશે.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…