RBI/ લક્ષ્મી વિલાસ બેંક પર RBIએ કસ્યો ગાળિયો, હવે માત્ર આટલા જ રૂપિયા ઉપાડી શકાશે…

લક્ષ્મીવિલાસ બેંક પર એક મહિનાનો મોરેટોરીયમ લગાવવામાં આવ્યો છે. તેનો અમલ 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. આ આદેશ આરબીઆઈ એક્ટની કલમ 45 હેઠળ લાવવામાં આવ્યો છે.

Top Stories Business

લક્ષ્મી વિલાસ બેંકની નાણાંકિય સ્થિતિ ખરાબ

કેન્દ્ર સરકારે એક મહિનાનું મોરેટોરિયમ લગાવ્યું

16 ડિસેમ્બર સુધી માત્ર રૂ. 25 હજાર જ ઉઠાવી શકાશે

આરબીઆઈએ તમિલનાડુની ખાનગી બેંક લક્ષ્મી વિલાસ બેંક પર ગાળિયો કસ્યો છે. આગામી એક મહિના સુધી એટલે કે, 16 ડિસેમ્બર સુધી વિવિધ પ્રતિબંધો લગાવી દીધા છે. બેંકનું બોર્ડ રદ કરવામાં આવ્યું છે અને ગ્રાહકો માટે ઉપાડની મર્યાદા નક્કી કરી છે. ગ્રાહકો હવે 16 ડિસેમ્બર સુધીમાં મહત્તમ 25 હજાર રૂપિયા બેંકમાંથી ઉપાડી શકશે.

કોરોના સાથે, હવે ‘ચાપરે વાયરસ’નો પણ ખતરો, આવા છે લક્ષણો છે…

જો કે, ગ્રાહકોને સારવાર, ઉચ્ચ શિક્ષણ અને લગ્ન, જેવી કેટલીક શરતો માટે મુક્તિ આપવામાં આવે છે. આ છૂટ હેઠળ ગ્રાહકો રિઝર્વ બેંકની પરવાનગીથી 25 હજાર રૂપિયાથી વધુ ઉપાડવામાં સમર્થ હશે. સમજાવો કે અગાઉ આરબીઆઈએ યસ બેન્ક અને પીએમસી બેંકને લઈને સમાન પગલાં લીધાં હતાં. જેના કારણે ગ્રાહકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

વિશ્વમાં ફરી એકવાર માથું ઉચકતો ઓરીનો ભયાનક રોગ,  અઢી દાયકા પછી સૌથી વધુ મોત

નાણાં મંત્રાલયના જણાવ્યા અનુસાર લક્ષ્મીવિલાસ બેંક પર એક મહિનાનો મોરેટોરીયમ લગાવવામાં આવ્યો છે. તેનો અમલ 17 નવેમ્બરથી 16 ડિસેમ્બર સાંજે 6 વાગ્યા સુધી કરવામાં આવશે. આ આદેશ આરબીઆઈ એક્ટની કલમ 45 હેઠળ લાવવામાં આવ્યો છે.

“અતિથી દેવો ભવ”ના પાઠ શીખવે છે ભીમ અને બકાસુરની લડાઈ

નોધનીય છે કે, બેંકના દેવામાં સતત વધારો થતા RBIએ નિર્ણય લેવો પડ્યો છે. લક્ષ્મી વિલાસ બેંક 92 વર્ષ જૂની છે. ગુજરાત ઘણા જીલ્લામાં લક્ષ્મી વિલાસ બેંકની શ્ખાઓ આવેલી છે. જેમાં અમદાવાદ, આણંદ, ગાંધીધામ, ગાંધીનગર, નવસારી, જામનગર સુરતમાં પણ બેંકની શાખાઓ આવેલી છે.