ટીના અને અનિલ અંબાણીના મોટા પુત્ર અનમોલ અંબાણીની મહેંદી સેરેમનીની તસવીરો ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહી છે. રીમા જૈન, શ્વેતા અને જયા બચ્ચન સહિત અનેક બોલિવૂડ સેલિબ્રિટીઓએ સેલિબ્રેશનમાં હાજરી આપી હતી. જ્યારથી ક્રિશા શાહની તસવીરો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સામે આવી છે, ત્યારથી લોકો અનમોલ અંબાણીની ભાવિ વહુ અને અંબાણી પરિવારની નવી વહુ વિશે જાણવા ઉત્સુક છે. ચાલો તમને એ પણ જણાવીએ કે આખરે ક્રિશા શાહ કોણ છે અને તે શું કરે છે.
લંડનમાં નોકરી કરતા હતા, પછી પોતાની કંપની ખોલી
જો શાહના યુકેથી શિક્ષણ વિશે વાત કરીએ તો, ક્રિશા શાહે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિકસમાંથી સોશિયલ પોલિસી એન્ડ ડેવલપમેન્ટમાં માસ્ટર ડિગ્રી પણ પૂર્ણ કરી છે. તેમણે યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયામાંથી પોલિટિકલ ઈકોનોમીમાં સ્નાતકની ડિગ્રી પણ મેળવી છે. અભ્યાસ પૂરો કર્યા પછી, તેણે યુકેમાં વિશ્વની સૌથી મોટી આઈટી કંપનીઓમાંની એક એક્સેન્ચરમાં કામ કર્યું. તે પછી જ્યારે તે ભારત આવી તો તેણે પોતાની કંપની ખોલી. જે એક સોશિયલ નેટવર્કિંગ કંપની છે.
કંપની શું કરે છે
ક્રિશા શાહે આ કંપની શરૂ કરવામાં ઘણી મહેનત કરી છે. આ કંપનીનું નામ છે Dysco. તે એક સોશિયલ નેટવર્ક કંપની છે જે “ક્રિએટિવ કોલાબોરેશન, ઇન્ટરનેશનલ નેટવર્કિંગ અને કોમ્યુનિટી બિલ્ડીંગ” માટે કામ કરે છે. આમાં તમે કોઈપણ પ્રોફેશનલને સર્ચ કરી શકો છો. તે તમામ ઉદ્યોગ અને વ્યાપારી લોકો માટે તેમનું કાર્ય પ્રદર્શિત કરવા માટેનું પ્લેટફોર્મ છે. ફ્રીલાન્સર્સ, સર્જનાત્મક, સાહસિકો, વ્યાવસાયિકો અને શોખીનો એકબીજાને કનેક્ટ કરવા, સહયોગ કરવા અને શોધવા માટે Dyscoનો ઉપયોગ કરે છે.
ક્રિશા અંબાણી એક સામાજિક કાર્યકર પણ છે
ક્રિશા શાહ એક સામાજિક કાર્યકર પણ છે. તે COVID-19 રોગચાળાની મનોવૈજ્ઞાનિક અસર પર કેન્દ્રિત માનસિક સ્વાસ્થ્ય જાગૃતિ અભિયાન ચલાવી રહી છે. જય અનમોલની મંગેતર ક્રિશા શાહ વિશે બહુ ઓછું જાણીતું છે. જય અનમોલની જેમ તેણે પણ પોતાના અંગત જીવનને લાઈમલાઈટથી દૂર રાખ્યું છે. ઘણા લોકોને એ પણ ખબર ન હતી કે જય અનમોલ અને ક્રિશા પણ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
Life Management / રાજાને જંગલમાં તરસ લાગી, પણ એક આંધળા માણસે સૈનિકને પાણી આપવાની ના પાડી… જાણો કેમ?
Life Management / સાધુ જ્યારે પણ નૃત્ય કરતા વરસાદ પાડવા લાગતો, કેટલાક લોકોએ સાધુને પડકાર ફેંક્યો, જાણો પછી શું થયું ?
આસ્થા / જ્યારે આવા લક્ષણો દેખાવા લાગે તો સમજી લેવું કે આ મૃત્યુ નજીક છે