આજકાલ દોડાદોડી ભરેલી જિંદગી જીવતા લોકો થઇ ગયા છે. જેના લીધે વ્યક્તિ આખો દિવસ માનસિક તણાવ અને ડીપ્રેશનમાં રહે છે. કામના ટેન્શનની અસર તમારા ખાવાપીવા પર પણ પડે છે ઘણી વાર સમય ન હોવાને લીધે તમે લંચ કે ડીનર કરવાને બદલે જંકફૂડ ખાવાનું પસંદ કરો છો. આવું ખાવાથી તમારી ભૂખ અવશ્ય સંતોષાઈ જશે પરંતુ તેની નકારત્મક અસરો ઘણી વધારે જોવા મળે છે. આથી આજે અમે તમને કેટલીક એવી વસ્તુ જણાવીશું કે જે ખાવાથી તમારો માનસિક તણાવ ઓછો થઇ જશે અને તમારા સ્વાસ્થ્યને પણ મદદરૂપ થશે.
ચોકલેટ
સામાન્ય રીતે તમે સાંભળ્યું હશે કે કોલેજીયન યુવતી ચોકલેટનું સેવન વધારે કરતી હોય છે જો કોઈનું બ્રેક અપ થઇ ગયું હોય તો તેઓ ચોકલેટનો સહારો લેતી હોય છે. ચોકલેટ એક એવી વસ્તુ છે જે નાની ઉંમરથી માંડીને મોટી ઉંમરની દરેક વ્યક્તિને ભાવે છે.
ચોકલેટની અંદર રહેલું ફિનાઈલેથાઈલામાઈન તત્વ મગજને આરામ આપે છે. દિવસ ભારનો સ્ટ્રેસ ઓછો કરવા માટે ચોકલેટ જેવું ઉત્તમ કઈ નથી. આટલું જ નહી પરંતુ ચોકલેટના લીધે ત્વચાને હાઇડ્રેડ મળે જે સૌન્દર્યને નિખારવામાં મદદ કરે છે.
ચોકલેટ ખાતી વખતે એક વસ્તુ ચોક્કસથી ધ્યાનમાં રાખવી જોઈએ ૨૦ ગ્રામ ચોકલેટમાં ૧૫૦ ગ્રામ કેલરી હોય છે આથી જો ખાવામાં ચોકલેટનું પ્રમાણ વધી જાય તો શરીર વધી જવાની સમસ્યા ઉભી થઇ શકે છે.
અખરોટ
અખરોટ ત્વચા માટે ખુબજ જરૂરી છે. જો તમને ગુસ્સો આવતો હોય કે કોઈ સાથે ઝગડીને આવ્યા હોવ તો અખરોટ ખાવાથી તમારો ગુસ્સો ઓછો થઇ જશે.
અખરોટમાં એલ-આર્જીનાઈન હોય છે જે નાઈટ્રીક ઓક્સાઈડમાં બદલાઈ જાય છે. આ તત્વ રક્તવાહીનીને શાંત રાખવામાં મદદરૂપ કરે છે.
ઓટમીલ
ઓટમીલમાં પૂરતા પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ હોય છે જેનાથી આપણા શરીરનું સેરોટીન બને છે. સેરોટીન મૂળ સારો કરવામાં મદદ કરે છે. ઉપરાંત માનને શાંતિ અને આરામની અનુભૂતિ કરાવે છે. ઓટ્સમાં રહેલું ફાઈબર તત્વ કેલરી આપે છે અને જેનાથી ભૂખ શાંત થાય છે.
સવારે કેળાની સાથે ઓટ્સ બ્રેકફાસ્ટમાં લેવાથી સ્વાસ્થ્ય સારું રહે છે.
બ્લુબેરી
જયારે પણ તમને ગળ્યું ખાવાનું માન થાય ત્યારે બ્લુબેરી અવશ્ય ખાવો. બ્લુબેરીમાં ભરપુર માત્રામાં એન્ટીઓક્સીડેંટ રહેલું છે જે તમારી ત્વચાને યુવાન રાખવામાં મદદ કરે છે. ઉપરાંત તેમાં પોટેશિયમ રહેલું છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે.
આ ચાર વસ્તુને ખાવાથી તમે ચોક્કસથી ટેન્શનથી મુક્ત રહેશો.