અમદાવાદ
ચહેરા પર સફેદ કે કાળા ડાઘ થવાના ઘણા બધા કારણ હોઈ શકે છે. આવુ ઘણી વખત પેટની ગડબડીના કારણે પણ થઈ શકે છે તો કદાચ હોર્મોન્સના અસંતુલનના કારણે પણ થઈ શકે છે. આના ઉપયોગ માટે બજારમાં ઘણી રીતના ઉત્પાદ રહેલા છે પણ કોઈપણ ઉપચાર ચિકિત્સકની સલાહ વિના કરવુ ખતરનાક સાબિત થઈ શકે છે. એવામાં ઘર ગથ્થુ ઉપચારો અજમાવવા સ્વાસ્થ્ય માટે વધુ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
1.ચહેરા પર થતા ડાઘથી બચવા માટે સૌથી જરૂરી છે કે તમે ધોમધગતા તાપમાં બને ત્યાં સુધી ન નિકળો, જ્યારે જ્યારે તમે આ તડકામાં નિકળો છો તો ચહેરો બરાબર ઢાંકીને નિકળો અથવા તો છત્રીનો ઉપયોગ કરવાનું રાખો.
2.તમે ઈચ્છો તો ઘઉંના લોટમાં દહીં, લીંબુનો રસ ભેળવી દઈને ચહેરા ઉપર હલ્કા હાથોથી મસાજ કરી શકો છો, થોડા સમય સુધી મસાજ કર્યા બાદ તેને સ્વચ્છ પાણીથી ધોઈ નાંખો
3.ચહેરા પરના ડાઘ દૂર કરવા માટે લીંબુ, હળદર અને બેસનની પેસ્ટ બનાવીને ચહેરા પર લગાવવી પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે.
4.ઘણી વખત ઓછી ઊંઘ લેવી અથવા વ્યવસ્થિત રીતે ન ઊંઘ આવવાથી પણ ચહેરા પર અસર પડતી હોય છે.
5.તમે ઇચ્છો તો રાત્રે સુતા પહેલા ચહેરા પર મલાઈ અને બદામની પેસ્ટ બનાવીને લગાવી શકો છો, આમ કરવાથી ડાઘની સમસ્યા દૂર થઈ શકે છે.
- સફરજન અને પપૈયાનો રસ ચહેરા પર લગાવવાથી પણ ડાઘા દૂર થઈ શકે છે.