આજે, 21 જૂન ને દુનિયાભર માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવામાં આવે છે. ભારતમાં ઘણા શહેરોમાં યોગ કેમ્પ પણ યોજવામાં આવ્યા છે. દેહરાદૂનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં મુખ્ય યોગ કાર્યક્રમ ચાલી રહ્યો છે. યોગ આપણું મન શાંત રાખે છે અને શરીરને સ્વસ્થ અને તંદુરસ્ત રાખે છે. આજે, યોગ દિવસના દિવસે, અમે તમને કહીશું કે ‘ૐ’ શબ્દ યોગની શરૂઆતમાં શા માટે ઉચ્ચારવામાં આવે છે…
યોગ ની શરૂઆત હંમેશા ‘ૐ’ શબ્દ થી થતી હોય છે. જયારે કોઈ પણ પૂજા ની શરૂઆત કરતા પેહલા ‘ૐ’ નું જાપ કરવામાં આવે છે તેમજ યોગ કરતા પેહલા હંમેશા ‘ૐ’ નું ઉચ્ચારણ કરવામાં આવે છે. એવું પણ કહેવાય છે કે ‘ૐ’ વગર આ શ્રુષ્ટિની કલ્પના પણ ના કરી શકાય. આ આપણને ઘણા રોગોથી દૂર રાખવામાં મદદ કરે છે. ચાલો આપણે ‘ૐ’ના ઉચ્ચારના લાભો જાણીએ.
‘ૐ’નો ઉચ્ચારણ કરવા થી ગળામાં કંપન પેદા કરે છે, જે થાઇરોઇડ ગ્રંથિ પર સકારાત્મક પ્રભાવ પાડે છે.
જો તમને એનું ઉચ્ચારણ કરતી વખતે ઘબરાહટ થતું હોય તો તમારી આંખો બંધ કરી ને ઊંડો શ્વાસ લઇ ને તેને 5 વખત ઉચ્ચારણ કરો. આમ કરવા થી તમે રિલેક્સ ફીલ કરશો.
‘ૐ’ નું ઉચ્ચારણ કરવા થી રક્ત પ્રવાહ સારો રહેશે અને તે તમારા હાર્ટ ને ચુસ્ત રાખવામાં મદદ કરશે.
તે આપણા શરીરના ઝેરી તત્વોને દૂર કરીને પાચક શક્તિને મજબૂત બનાવે છે.
‘ૐ’નું ઉચ્ચાર થાક દૂર કરવા માટે ખૂબ લાભદાયી છે.