અમદાવાદ,
નાનપણ થી જ આપણને શીખવાડવામાં આવે છે કે,લીલા શાકભાજી ખાવાથી આંખોની ચમકતો વધે છે સાથે સાથે દ્રષ્ટિ પણ સારી રહે છે. હાલમાં જ જાણવા મળ્યું છે કે દ્રાક્ષ ખાવાથી પણ આંખોની રોશની સારી રહે છે અને આંધળાપણાનો ખતરો દુર થાય છે.
લંડનની એક યુનિવર્સિટીમાં થયેલા અભ્યાસ પ્રમાણે દ્રાક્ષને કાયમ ખાવાને કારણે આંખોની રેટિના હેલ્થી રહે છે અને આંખો ફીકી નથી પડતી.
![આ ફળનું નિયમીત સેવન કરશો તો ચશ્માના નંબર ક્યારે નહીં આવે 4 Image result for Grapes](https://images-na.ssl-images-amazon.com/images/I/71mgm8fudZL._SY355_.jpg)
આ અભ્યાસમાં ખાસ વાત તો એ સામે આવી છે કે નિયમિત દ્રાક્ષ ખાનારાને આંખમાં નંબર આવતા નથી. દ્રાક્ષ ઓક્સીડેન્ટીવ સ્ટ્રેસથી સુરક્ષા આપવાનું કામ કરે છે. આ સ્ટ્રેસ ફ્રી રેડીક્લસ રેટીનાને નુકશાન પહોંચાડે છે. જેનાથી આંખોની રોશની જતી રહેવાનો ભય ઉભો રહે છે.
![આ ફળનું નિયમીત સેવન કરશો તો ચશ્માના નંબર ક્યારે નહીં આવે 5 Image result for Grapes](https://www.lgssales.com/wp-content/uploads/2017/07/p-l-grapes_bunch.png)
દ્રાક્ષમાં પર્યાપ્ત માત્રામાં મેળવવામાં આવે છે જે કોશિકાઓને સુરક્ષિત રાખવામાં મદદગાર થાય છે. અમેરિકામાં યુનિવર્સીટી ઓફ મિયામીના પ્રોફેસર એબીગેલ હેક્મ અનુસાર, ડાયટમાં દ્રાક્ષને શામેલ કરવાથી આંખોની રોશની લાંબા સમય સુધી સારી રહે છે અને રેટીનાને પણ સુરક્ષિત રાખવામાં આવી શકે છે. દ્રાક્ષના નિયમિત સેવનથી આંધળાપણાનો ભય સાવ ઓછો થઇ જાય છે.
દ્રાક્ષનું નિયમિત સેવન કરનારની આંખમાં પાણી પણ યોગ્ય માત્રામાં જળવાઈ રહે છે.