Gandhinagar News: રાજ્યના મોટાભાગના તાલુકાઓ માટે ગુજરાત વરસાદમય રહ્યો હતો. છેલ્લા 24 કલાકમાં 141 તાલુકામાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. બનાસકાંઠાના દાંતા અને વડગામને ભારે વરસાદે તરબોળ કરી દીધા હતા. દાંતામાં આઠ ઇંચ અને વડગામમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. જ્યારે મહીસાગરના કડાણામાં ત્રણ ઇંચ વરસાદ વરસ્યો હતો.
સમગ્ર ગુજરાતમાં આજ સુધીમાં સરેરાશ 7.25 ઇંચ વરસાદ વરસ્યો છે. આટલા વરસાદ પછી છેલ્લા દસ દિવસમાં ગુજરાતના કુલ 207 જળાશયોમાં 38.41 ટકા જળસંગ્ર હથયો છે. આ જળસંગ્રહ 26 જૂનના રોજ 38.19 ટકા હતો. આમ વરસાદના મોરચે સૌરાષ્ટ્રનું ચિત્ર ઉજળું છે. સૌરાષ્ટ્રના 11 જિલ્લામાં સરેરાશ 8.50 ઇંચ વરસાદ નોંધાયો છે. જળસંગ્રહ 13 ટકાથી વદીને 23.52 ટકા થયો છે. તેમા 10 ટકાનો નોંધપાત્ર વધારો થયો છે.
ગયા વર્ષની તુલનાએ સૌરાષ્ટ્રના જળસંગ્રહનું ચિત્ર ઘણુ નબળુ છે. ગત વર્ષે 44383 એમસીએફટી સંગ્રહ હતો તેમાં આ વખતે 22,226 એમ.સી.એફટી. પાણી ઓછું છે. ગુજરાતના 13 જળાશયો હાલ એલર્ટ ઉપર છે જેમાં 70 ટકાથી 100 ટકા પાણી સંગ્રહિત થયું છે જેમાં એકમાત્ર મહીસાગરના બાલાસિનોરના વણાંકબોરી ડેમને બાદ કરતા તમામ 12 ડેમો સૌરાષ્ટ્રના છે. આમ, છતાં સૌરાષ્ટ્રમાં હાલ બીજી તરફ, ત્રિવેણી ઠાંકા, હમીરપરા, ગોંડલી, ઉંડ-2, લીમડી ભોગાવો-1, ફુલઝર, નિંભણી, સાની, કમુકી, કબીર સરોવર સહિતના 15 ડેમો મેદાનો જેવા ખાલી છે.
રાજ્યની જીવાદોરી એવા સરદાર સરોવરમાં જળસંગ્રહ વરસાદના પ્રથમ રાઉન્ડમાં 3 ટકા ઘટીને હાલ 50.13 ટકા થયો છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં આજની સ્થિતિએ 25.63 ટકા, મધ્ય ગુજરાતના ડેમોમાં 41.61 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 32.76 ટકા સાથે એક ટકાની વધઘટ સાથે જળસંગ્રહ દસ દિવસમાં યથાવત્ રહ્યો છે. પરંતુ, સૌરાષ્ટ્રના 141 ડેમોમાં તા. 26 જૂને માત્ર 13.22 ટકા (12,408 એમસીએફટી) પાણી સંગ્રહાયેલુ હતું તે સામે આજે તા.4 જૂલાઈએ સ્ટોરેજ વધીને 23.52 ટકા (22,076 એમસીએફટી) થયું છે. એટલે કે આશરે 10 દિવસમાં 10 ટકા એટલે કે 10,000 એમ.સી.એફટી.નો વધારો થયો છે.
આ પણ વાંચો: ભગવાન જગન્નાથજીની આજે નેત્રોત્સવ વિધિ
આ પણ વાંચો: સગીરાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ કરનારા આરોપીને 20 વર્ષની સજા
આ પણ વાંચો: હું સુસાઇડ કરું છું…મારા પ્રોફેસર મારી સાથે માનસિક સતામણી કરે છે અને….
આ પણ વાંચો: બનાસકાંઠા, સુરત, તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી