અંકલેશ્વરના કોસમડી ગામમાં 24 વર્ષીય યુવક પુષ્પરાજ કાલિદાસ પ્રજાપતિ રહેતો હતો.પુષ્પરાજને બે મહિના પહેલા જ એમપીની યુવતી રૂપાલી સાથે પ્રેમ થઈ ગયો હતો.જેથી રૂપાલી તેના માતા-પિતાને છોડીને પુષ્પરાજ સાથે અંકલેશ્વરના કોસમડી ગામમાં તેની સહમતીથી રહેતા હતો.જોકે બંનેય કોઈ કારણોસર ગતરાત્રીના નર્મદા મૈયા બ્રિજ પરથી મોતની છલાંગ લગાવા પહોંચ્યા હતાં. આ સમય દરમીયાન પ્રેમી પુષ્પરાજે તેની પ્રેમિકા રૂપાલીની સામે જ નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવી હતી.
આ સમયે પ્રેમીને નર્મદા ગરકાવ થતાં જોઈને ગભરાઈ ગયેલી રૂપાલીએ જોર જોરથી બચાવો બચાવો બુમો પડવા લાગી હતી.આ સમયે ત્યાથી પસાર થઈ રહ્યા લોકો એકત્ર થઈ ગયા હતાં.બનાવ અંગેની જાણ સ્થાનિકોએ અંકલેશ્વર શહેર પોલીસ મથકમાં કરતાં પોલીસ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી આવીને યુવતીને સંભાળી પોલીસ મથકે મોકલી આપી હતી.ત્યાર બાદ પોલીસે સામાજિક કાર્યકર્તા ધર્મેશ સોલંકીને બોલાવી યુવકને શોધવાની કવાયાત હાથ ધરી હતી.
આ પણ વાંચો:જમ્મુ-કાશ્મીરમાં બસ ખીણમાં પડતા 11 લોકોના મોત, 25ની હાલત ગંભીર,સેના બચાવ કામગીરીમાં
આ પણ વાંચો: પાકિસ્તાનમાં બોમ્બ બ્લાસ્ટ થતાં પાંચ લોકોના મોત
આ પણ વાંચો:વડોદરામાં ગાયની અડફેડનો ભોગ બની સગર્ભા મહિલા, ગર્ભમાં રહેલા શિશુનું મોત