વિધાનસભા ચૂંટણી/ મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે કહ્યું ‘અખિલેશ યાદવ આજના ઔરંગઝેબ છે’

શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશના દેવરિયામાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ પર જોરદાર નિશાન સાધ્યું અને તેમની સરખામણી ઔરંગઝેબ સાથે કરી.

Top Stories India
2 મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહે ચૌહાણે કહ્યું 'અખિલેશ યાદવ આજના ઔરંગઝેબ છે'

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઉત્તર પ્રદેશના દેવરિયામાં ચૂંટણી સભાને સંબોધી હતી. આ દરમિયાન તેમણે અખિલેશ યાદવ પર જોરદાર નિશાન સાધ્યું અને તેમની સરખામણી ઔરંગઝેબ સાથે કરી. આ સમયે ભાજપ અને સપાના નેતાઓ વચ્ચે જોરદાર વાર-પલટવાર થઈ રહ્યા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 3 તબક્કાનું મતદાન થયું છે અને આગામી તબક્કા માટે ચૂંટણી પ્રચાર પૂરજોશમાં ચાલી રહ્યો છે. ભાજપના ઘણા દિગ્ગજ નેતાઓ આ સમયે રેલીઓને સંબોધિત કરી રહ્યા છે.

શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું, “અખિલેશ યાદવ આજના ઔરંગઝેબ છે. તેમના પિતાના  ન થયા તે, તમારા શું થશે. હું આ નથી કહી રહ્યો, મુલાયમ સિંહ યાદવે કહ્યું હતું. ઔરંગઝેબે પણ એવું જ કર્યું. પિતાને જેલમાં નાખ્યા, માર્યા ગયા. મુલાયમ સિંહ યાદવ કહે છે કે અખિલેશે જેટલું અપમાન કર્યું છે એટલું દુનિયામાં કોઈએ કર્યું નથી.

ઉત્તર પ્રદેશમાં હવે ચોથા તબક્કા માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. સપા અને ભાજપ વચ્ચે શબ્દયુદ્ધ પણ તેજ થઈ ગયું છે. એક તરફ સત્તાધારી પક્ષ સપાની ભૂતકાળની નિષ્ફળતાઓ ગણી રહ્યો છે તો બીજી તરફ અખિલેશ યોગી સરકારની નીતિઓ પર સવાલો ઉઠાવી રહ્યા છે અને ટોણો પણ મારી રહ્યા છે. ઉત્તર પ્રદેશના 16 જિલ્લાની 59 વિધાનસભા બેઠકો માટે રવિવારે મતદાન થયું હતું. સપા અને આરએલડી ગઠબંધનનો દાવો છે કે ગઠબંધનને અત્યાર સુધીના મતદાનમાં સૌથી વધુ બેઠકો મળી છે, જ્યારે ભાજપ તેની લીડનો દાવો કરી રહી છે.મ