રાજકોટના આજીડેમમાં સંખ્યાબંધ માછલાઓ મોતને ભેટ્યા છે. માછલાઓના મોતથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે. પ્રાથમિક તપાસમાં માછલાના મોત પ્રદૂષિત પાણીને કારણે થયા હોવાનું જાણવા મળ્યું છે.
આજીડેમમાં સ્વચ્છતાનું ધ્યાન ન રખાતું હોવાથી માછલાઓ મોતને ભેટ્યા હોવાનું પર્યાવરણ પ્રેમીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. હજારોની સંખ્યામાં માછલાઓ મોતને ભેટી કાંઠાના વિસ્તારમાં તણાઇને આવ્યા હતા.
આ અંગે આગળની તપાસના આદેશ આપવામાં આવ્યા છે.