મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેરે કાળો કહેર વર્તાવ્યો છે. વાયરસે હવે નાના બાળકો અને માસુમ ને પણ પોતાનો શિકાર બનાવવાનું શરુ કર્યુ છે. આરોગ્ય વિભાગના આંકડા દર્શાવે છે કે રાજ્યમાં એક થી 10 વર્ષની વયના 1 લાખ 47 હજાર 420 બાળકો રાજ્યમાં કોરોનાવાયરસનો શિકાર બન્યા છે. બાળકોમાં ચેપના સૌથી વધુ કેસો ફક્ત માર્ચ અને એપ્રિલ મહિનામાં જ જોવા મળ્યા છે.
આરોગ્ય વિભાગ અનુસાર રાજ્યમાં દરરોજ સરેરાશ 500 બાળકો કોરોના સંક્રમિત થઈ રહ્યા છે. 11 થી 20 વર્ષની વયના 3 લાખ 33 હજાર 926 બાળકો અને યુવાનો આજકાલ વાયરસના લપેટમાં આવ્યા છે.
મુંબઈમાં 1.5 થી 2 ગણા વધુ બાળકોને ચેપ લાગ્યો
મુંબઇમાં બાળકોમાં સંક્રમણનું પ્રમાણ ઝડપથી વધી રહ્યું છે. બીએમસીના ડેટામાં જણાવાયું છે કે ગયા વર્ષે 0 થી 10 વર્ષની વયના 11,080 બાળકોને કોરોના ચેપ લાગ્યો હતો અને 17 લોકોનાં મોત થયાં હતાં. નાયર હોસ્પિટલના બાળરોગ વિભાગના વડા ડો.સુષ્મા મલિકે જણાવ્યું કે, હોસ્પિટલમાં દાખલ બાળકોની સંખ્યા પ્રથમ તરંગ કરતા 1.5 થી 2 ગણા વધારે છે. કોરોનાથી મૃત્યુ પામેલા મોટાભાગના બાળકો ન્યુમોનિયાના શિકાર હતા. બીએમસી દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આ વર્ષે બાળકો પાછલા વર્ષ કરતા બહાર વધુ રમતા હતા, તેથી તેઓ વધુ ચેપગ્રસ્ત થયા છે.
ડોકટરો કહે છે કે ચેપ નિશ્ચિતરૂપે બાળકોમાં ફેલાઈ રહ્યો છે, પરંતુ તેઓ પણ જલ્દી સ્વસ્થ્ય પણ થઇ રહ્યા છે.
મુંબઈની મોટી હોસ્પિટલમાં બાળકોના મોતની સ્થિતિ
મુંબઇની પરેલની વાડિયા હોસ્પિટલમાં માર્ચ અને એપ્રિલમાં પાંચ બાળકોનું ઇન્ફેક્શનને કારણે મોત થયું હતું. જો કે, વર્ષ 2020 માં, કોરોનામાં ફક્ત 3 બાળકો જ મૃત્યુ પામ્યા. 2020 ના મે દરમિયાન અહીં 76 બાળકોને ચેપ લાગ્યો હતો. તે જ સમયે, 103 બાળકો કોરોનાની બીજી લહેર એટલેકે માર્ચ – એપ્રિલ માં કોરોના પોઝિટિવ બન્યા છે. જો કે વડિયા હોસ્પિટલના સીઈઓ ડો.મિન્ની બોધનવાલાએ જણાવ્યું હતું કે, આ વર્ષે મૃત્યુ દર વધ્યો નથી.
આવી જ સ્થિતિ મુંબઈ સેન્ટ્રલની બીવાયએલ નાયર હોસ્પિટલની છે. 30 એપ્રિલ સુધીમાં, 43 બાળકોને ચેપ પછી દાખલ કરવામાં આવ્યા છે અને એપ્રિલ મહિનામાં 4 બાળકોનાં મોત નીપજ્યાં છે. મૃતકોમાં 3 નવજાત અને એક 11 વર્ષનો હતો. મૃતકોમાં 9 મહિનાનું બાળક પણ હતું. માર્ચ મહિનામાં મહાલક્ષ્મીની એસઆરસીસી ચિલ્ડ્રન્સ હોસ્પિટલમાં બાળકનું પ્રથમ મૃત્યુ નોંધાયું હતું.
સાયન હોસ્પિટલના બાળરોગ વિભાગના ડો. યશવંત ગબલેએ જણાવ્યું હતું કે બીજી તરંગમાં બાળકોના કેસ પણ પ્રથમ તરંગની જેમ આવી રહ્યા છે. દરરોજ 4 થી 5 બાળકો કોરોનાથી સંક્રમિત હોય છે, તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે, પરંતુ તેમાં કોરોનાના સામાન્ય લક્ષણો છે. જ્યારે સારવાર શરૂ થાય છે ત્યારે તેઓ તરત જ સ્વસ્થ્ય પણ થઇ રહ્યા છે.
વડીલોની ભૂલથી બાળકોને કોરોના
રાજ્યના દેખરેખ વિભાગના વરિષ્ઠ અધિકારી, પ્રદીપ અવતેએ જણાવ્યું હતું કે વડીલોની બેકાળજી અથવા બેજવાબદારી ને કારણે લોકો લોકડાઉનમાંથી બહાર આવ્યા. આ સમય દરમિયાન, નિયમોના ઉલ્લંઘનને કારણે કોરોનાનું સ્ન્ક્રમ્ન વધ્યું છે અને તે વડીલો થાકી બાળકોમાં જોવા મળ્યું છે.
બાળકો જલ્દી સ્વસ્થ થઈ જાય છે
આરોગ્ય વિભાગના વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર માર્ચ અને એપ્રિલમાં કેસોમાં વધારો થયો હોવા છતાં બાળકોને વધારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો નથી. કેઈએમ હોસ્પિટલના બાળરોગ નિષ્ણાંત ડો.મકેશ અગ્રવાલે જણાવ્યું હતું કે બાળકોની પ્રતિરક્ષા સારી છે.