આત્મહત્યા/ રાજકોટના ઉધોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા

મહેન્દ્ર ફળદુ યુવી કલબ  સંસ્થા સાથે જોડાયેલા હતી,તેઓ એ આજે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં એરેરાટી ફેલાઇ ગઇ છે

Top Stories Gujarat
rajkot રાજકોટના ઉધોગપતિ મહેન્દ્ર ફળદુએ કરી આત્મહત્યા
  • ઉદ્યોગપતિ મહેન્દ્ર ફળદુએ કર્યો આપઘાત
  • મહેન્દ્ર ફળદુ UV ક્લબ સંસ્થા સાથે સંકળાયેલ હતા
  • આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ

રાજકોટમાં ઉદોગપતિ મહેન્દ્ર ફળદુએ આપઘાત કરતા સમગ્ર પંથકમાં અરેરાટી ફેલાઇ ગઇ છે. આ આપઘાતની જાણ પોલીસને થતાં તે સત્વરે ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી, મહેન્દ્ર ફળદુએ ક્યાં કારણસર આત્મહત્યા કરી છે તે કારણ હજુ સુધી બહાર આવ્યો નથી,પોલીસ તે કારણ જાણવાનો પ્રાયસ કરી રહી છે ,હાલ કોઇ સ્યુસાઇડ નોટ મળી આવી નથી, પોલીસે હાલ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેન્દ્ર ફળદુ યુવી કલબ  સંસ્થા સાથે જોડાયેલા હતા,તેઓ એ આજે આત્મહત્યા કરી લેતા સમગ્ર પંથકમાં એરેરાટી ફેલાઇ ગઇ છે. અને આ ઉધોગપતિની આત્મહત્યા ટોક ઓફ ધ ટાઉન બની છે.