Not Set/ સંતરામપુર જેલમાં મહિલા કેદી પર દુષ્કર્મ, પોલીસ કર્મીએ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં એક મહિલા કેદી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે અને આ દુષ્કર્મ કોઈ બીજા દ્વારા નહીં પરંતુ એક પોલીસકર્મી દ્વારા કરાયું હોવાનો આરોપ લગાવાયો છે. જે મહિલા કેદી પર દુષ્કર્મ થયું તે મહિલા કેદી હત્યાના આરોપમાં જેલમાં સજા ભોગવી રહી હતી. ત્યારે આ મામલાની તપાસ માટે  3 અધિકારીઓની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં […]

Top Stories Gujarat Others Trending
prisoner in prison 490f3be4 6f7a 11e7 90b5 ba41537c464e સંતરામપુર જેલમાં મહિલા કેદી પર દુષ્કર્મ, પોલીસ કર્મીએ દુષ્કર્મ ગુજાર્યાનો આરોપ

મહિસાગર જિલ્લાના સંતરામપુરમાં એક મહિલા કેદી પર દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે અને આ દુષ્કર્મ કોઈ બીજા દ્વારા નહીં પરંતુ એક પોલીસકર્મી દ્વારા કરાયું હોવાનો આરોપ લગાવાયો છે.

જે મહિલા કેદી પર દુષ્કર્મ થયું તે મહિલા કેદી હત્યાના આરોપમાં જેલમાં સજા ભોગવી રહી હતી. ત્યારે આ મામલાની તપાસ માટે  3 અધિકારીઓની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ બનાવવામાં આવી છે.

આરોપમાં કેટલું તથ્ય છે અને કઈ જગ્યાએ દુષ્કર્મ ગુજારવામાં આવ્યું તે મામલે આ અધિકારીઓ તપાસ કરશે. હાલ તો પોલીસકર્મી સામે દુષ્કર્મનો ગુનો નોંધવામાં આવ્યો છે. જે પોલીસ કર્મી દ્વારા દુષ્કર્મ ગુજારવાનો આરોપ છે. તેનું નામ નિમેશ ભુનેકર છે અને દુષ્કર્મ બાદ મહિલા કેદી ગર્ભવતી બની હોવાનું પણ સામે આવ્યું છે.

મહત્વનું છે એ કે, 10 ઓગસ્ટે વિશ્વ જેલ દિવસ નિમીત્તે સંતરામપુર જેલમાં મહીસાગર જિલ્લા પોલીસ વડા ઉષા રાડા અને સેશન્સ જજે કાર્યક્રમ ઉજવ્યો હતો. એ દરમિયાન હત્યાના આરોપમાં જેલની સજા ભોગવી રહેલી યુવતીએ જિલ્લા પોલીસ વડા ઉષા રાડાને એક ચિઠ્ઠી મોકલી હતી.

જે ચિઠ્ઠી વાંચ્યા બાદ ઉષા રાડાએ મહિલાની પૂછપરછ કરી હતી. પૂછપરછમાં યુવતીએ જણાવ્યું કે એલસીબીના કોન્સ્ટેબલ નિમેશ ભુનેકરે તેના પર દુષ્કર્મ ગુજાર્યું હતું અને તેને ગર્ભવતી બનાવી છે. સમગ્ર હકીકતની જાણ થતા પોલીસ વડા ચોંકી ઉઠ્યા હતા.

બનાવ અંગે જાણ થતા રેન્જ આઇજી મનોજ શશીધર પણ સંતરામપુર દોડી ગયા હતા અને મહિસાગર એલસીબીમાં ફરજ બજાવતા નિમેષ ભુનેકર સામે મોડી રાતે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. મહત્વનું છે કે જે યુવતીએ આ ફરિયાદ કરી છે તે યુવતી પોતાાના પ્રેમીની હત્યામાં જેલવાસ ભોગવી રહી છે અને બે-અઢી મહિનાથી જેલમાં છે.