પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મંગળવારે કહ્યું કે, જે દિવસે લોકોને યોગ્ય વિકલ્પ મળશે તે દિવસે ભારતીય જનતા પાર્ટી (BJP) સત્તામાંથી બહાર ફેંકાઈ જશે. બેનર્જીએ કહ્યું કે, તેમની પાર્ટી અને અન્ય વિપક્ષી શિબિરોએ વૈકલ્પિક દળ બનાવવા માટે એકસાથે આવવું જોઈએ.
આ પણ વાંચો: રશિયન તેલ પર યુએસના પ્રતિબંધ બાદ ક્રૂડ ઓઈલના ભાવમાં તીવ્ર વધારો, ક્રૂડ 130 ડોલરને પાર
પાર્ટીની સંગઠનાત્મક બેઠકને સંબોધતા તેમણે કહ્યું કે, ભાજપ હજુ પણ સત્તામાં છે કારણ કે હવે કોઈ વિકલ્પ બચ્યો નથી. જે દિવસે વિકલ્પ મળી જશે તે દિવસે તેને ફેંકી દેવામાં આવશે. મમતા બેનર્જીએ પાર્ટીના ત્રીજા કાર્યકાળની પ્રથમ વર્ષગાંઠ પર આ જાહેરાત કરી છે.
મમતાએ 5 મેથી જનસંપર્ક કાર્યક્રમ શરૂ કરવાની વાત કરી અને કહ્યું કે, તે 21 જુલાઈ સુધી ચાલુ રહેશે. તેમણે કહ્યું કે, બંગાળમાં ભાજપ અને ડાબેરીઓએ હાથ મિલાવ્યા છે. પરંતુ આ રાજ્ય બતાવશે કે, 2024ની લોકસભા ચૂંટણીમાં ભાજપને કેવી રીતે હરાવી શકાય.
ભાજપને “તોફાનીઓની પાર્ટી” તરીકે વર્ણવતા મમતાએ કહ્યું કે સોમવારે વિધાનસભામાં તેના સભ્યો દ્વારા જે હંગામો થયો તે “અભૂતપૂર્વ” હતો. ગયા મહિને, બેનર્જીએ, જેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે ફરીથી ચૂંટાયા હતા, તેમણે એક નવી રાજ્ય સમિતિની રચના કરી હતી જેમાં મોટાભાગે તેમના વફાદાર હતા. પાર્ટીમાં જૂના નેતાઓ અને યુવા નેતાઓ વચ્ચેના કથિત સત્તા સંઘર્ષ વચ્ચે આ સમિતિની રચના કરવામાં આવી છે.
મંચ પર પ્રશાંત કિશોર પણ હાજર હતા.
TMC સુપ્રીમોએ સુબ્રત બક્ષીને પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને પાર્થ ચેટરજીને ફરીથી જનરલ સેક્રેટરી તરીકે નિયુક્ત કર્યા. તેમણે રાજ્યના ભૂતપૂર્વ નાણાં પ્રધાન અમિત મિત્રા અને 19 રાજ્ય મહાસચિવો સહિત લગભગ 20 ઉપ-પ્રમુખોની નિમણૂક પણ કરી. તે જ સમયે, ટીએમસીના રાજકીય સલાહકાર પ્રશાંત કિશોર પણ બેઠકમાં હાજર હતા અને તેઓ પાર્ટીના અન્ય વરિષ્ઠ નેતાઓ સાથે સ્ટેજ શેર કરતા જોવા મળ્યા હતા.
આ પણ વાંચો:પાંચ રાજ્યોના પરિણામો પહેલા રાહુલ ગાંધી વાયનાડમાં, જાણો શું છે પ્લાન
આ પણ વાંચો: અખિલેશ યાદવના આરોપો પર બીજેપી નેતા અનુરાગ ઠાકુરે પલટવાર કર્યો, કહ્યું- બે દિવસ પહેલા EVM થયું બેવફા