આજના સમયમાં અવનવાર ધણી બધી ઘટનાઓ બનતી હોય છે. જેમાં હત્યા અને બળાત્કાર જેવી ઘટના વધુ બનતી હોય છે. આવી જ એક હત્યાની ઘટના સામે આવી છે. રાજસ્થાનના અજમેરથી એક ચોકવનારી ઘટના સામે આવી છે. અજમેરની એક મસ્જિદના મૌલવીને મોઢુ ઢાંકીને આવેલા 3 વ્યક્તિઓએ ઢોરમાર મારીને તેમની હત્યા કરી દીધી હતી. આ ઘટના શનિવારે બની હતી. મૃતક મોહમ્મદ માહિર તેમના 6 બાળકો સાથે કંચન નગરની મસ્જિદમાં સુઇ રહ્યા હતા. ત્યારે આ ઘટના ઘટી હતી.
આ ઘટના મામલે પોલીસે જણાવ્યુ હતુ કે આરોપીઓએ કથીક રીતે મસ્જિદમાં ઘુસીને આ ધટનાને અંજામ આપ્યો હતો. મૃતક ઉત્તર પ્રદેશના રામપુરના રહેવાસી હતા અને તેમની ઉંમર 30 વર્ષની હતી. પોલીસના જણાવ્યા અનુસાર મૌલવીને લાકડીઓ વડે મારવામાં આવ્યા હતા. મૌલવીએ તેમના બાળકોને મદદ માટે બુમ પાડી ત્યારે, આરોપીઓએ મૌલવીના બાળકોને જાનથી મારી નાખવાની ઘમકી આપી હતી. પોલીસે વધુ જણાવતા કહ્યુ કે આરોપીઓએ મૌલવીનો મોબાઇલ પણ લઇ લીઘો હતો જેના કારણે તેમના બાળકો કોઇને મદદમાટે ફોન ના કરી શકે.
આરોપીના ઘટના સ્થળેથી ભાગી ગયા બાદ મૌલવીના બાળકો મસ્જિદની બહાર આવીને તેમના પડોશીઓને આ ઘટના વિશે જણાવ્યું છે. પોલીસે જણાવ્યુ છે કે, અત્યાર સુધી કોઇની ઘરપકડ કરવામાં આવી નથી, પરંતુ તેમની ઓળખ કરીને તેમને પકડવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. પોલીસ દ્વારા એ વિસ્તારના CCTV ફુટેજ શોધી રહી છે. ભારતીય દંડ સંહિતા કલમ 302 (હત્યા) હેઠળ ફરિયાદ નોંધી છે. પોલીસે જણાવ્યુ હતુ કે, મૌલવી બાળકોને ભણાવતા હતા.
હાલ મૌલવીના મૃતદેહને તેમના પરિવારજનોને સોપવામાં આવ્યો હતો. પોલીસ આ ઘટનાની બઘા જ એંગલીથી તપાસ કરી રહી છે.
આ પણ વાંચો:2976 અશ્લીલ વીડિયો ધરાવતી પેનડ્રાઈવ શોધવાના દાવાથી ખળભળાટ
આ પણ વાંચો:ભાજપની લહેર ચૂંટણીમાં કોંગ્રેસના માઈલસ્ટોન વિજયને આપી શકશે માત, શુંNDA 400નો આંકડો પાર કરી શકાશે!
આ પણ વાંચો:શ્રીમાધોપુરમાં કિન્નર સાથે હેવાનિયત, પ્રાઈવેટ પાર્ટમાં મળ્યું કંઇક આવું….
આ પણ વાંચો:મધ્યપ્રદેશમાં ‘સુરતવાળી થઈ’, કોંગ્રેસના ઉમેદવાર અક્ષય કાંતિ નામાંકન પાછું ખેચી ભાજપમાં જોડાયા