Mayawati Reaction on Una Dalit Atrocities Case Verdict: ગુજરાતના ગીર સોમનાથ જિલ્લાના ઊનામાં વર્ષ 2016માં બનેલા ચર્ચિત દલિત અત્યાચાર કેસમાં નીચલી અદાલતે 40માંથી 35 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ રાજકીય પ્રતિક્રિયાઓ તેજ બની છે. બહુજન સમાજ પાર્ટી (BSP)ના પ્રમુખ માયાવતીએ આ નિર્ણય પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે અને પીડિત દલિત પરિવારોને ન્યાય મળે તે માટે ગુજરાત સરકારને હાઈકોર્ટમાં અસરકારક રીતે કેસ લડવાની અપીલ કરી છે.
Mayawati એ ચુકાદા પર વ્યક્ત કર્યો રોષ
માયાવતીએ(Mayawati) જણાવ્યું કે સ્થાનિક અદાલતના નિર્ણય બાદ પીડિત પરિવારોને હાઈકોર્ટમાં અપીલ કરવા માટે આર્થિક અને વહીવટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેમના મતે આ પરિસ્થિતિ માત્ર પીડિત પરિવારો માટે જ નહીં, પરંતુ સમગ્ર બહુજન સમાજ માટે ચિંતાજનક છે. તેમણે કહ્યું કે આવા ગંભીર કેસમાં મોટી સંખ્યામાં આરોપીઓ નિર્દોષ છૂટી જવાથી ન્યાય વ્યવસ્થા અંગે અનેક સવાલો ઊભા થયા છે.
1. गुजरात राज्य के ज़िला गिर सोमनाथ के ऊना में सन् 2016 में हुये दलितों पर जघन्य अन्याय-अत्याचार काण्ड के लगभग सभी अभियुक्तों को मार्च में स्थानीय कोर्ट द्वारा बरी करने के फैसले को हाईकोर्ट में चुनौती देकर न्याय पाने के लिये पीड़ित दलित परिवारों को वित्तीय आदि का भारी चुनौतियों…
— Mayawati (@Mayawati) August 7, 2026
ઘટના બાદ જાતે ઊના પહોંચી હતી માયાવતી
બસપા પ્રમુખે યાદ અપાવ્યું કે ઘટના બાદ તેઓ જાતે ઊના જઈ પીડિત પરિવારોને મળ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી હતી. ત્યારબાદ તેમણે રાજ્ય સરકાર પાસે તમામ દોષિતો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમનું કહેવું છે કે દેશવ્યાપી વિરોધ અને આક્રોશ છતાં મોટાભાગના આરોપીઓ નિર્દોષ જાહેર થવાથી દલિતોની સુરક્ષા અને તેમના હિતો પ્રત્યે સરકારની ગંભીરતા અંગે પ્રશ્નો ઊભા થાય છે.

સરકારી ખર્ચે વકીલ આપવાની કરી માંગ
માયાવતીએ(Mayawati) ગુજરાત સરકારને અપીલ કરી છે કે તે આ કેસમાં હાઈકોર્ટમાં અસરકારક રીતે રજૂઆત કરે અને જો જરૂરી હોય તો પીડિત પરિવારોને તેમની પસંદગીના વકીલની સેવા સરકારી ખર્ચે ઉપલબ્ધ કરાવે. તેમના જણાવ્યા મુજબ, ગરીબ અને વંચિત વર્ગને યોગ્ય ન્યાય મળી રહે તે માટે આવી વ્યવસ્થા જરૂરી છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર આ મામલે સકારાત્મક પગલાં ભરી પીડિતોને ન્યાય અપાવવા માટે તમામ જરૂરી કાર્યવાહી કરશે.
આ પણ વાંચો: માયાવતીના નિર્ણયોથી BSP પર સંકટ, UPમાં 2027 ચૂંટણી પહેલા નેતાઓની હકાલપટ્ટીથી રાજકીય સમીકરણ બદલાયું
આ પણ વાંચો: આકાશ આનંદના પરત ફર્યા બાદ માયાવતીએ 16 એપ્રિલે BSPની મહત્વપૂર્ણ બેઠક બોલાવી, 300 થી વધુ અધિકારીઓ હાજરી આપશે
આ પણ વાંચો: BSPના તમામ પદો પરથી આકાશ આનંદને કેમ દૂર કરવામાં આવ્યા? માયાવતીએ પોતે કારણ આપ્યું હતું
