વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને તમામ ભારતીયોને આગળની સૂચના સુધી ઈરાન કે ઈઝરાયેલની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી છે.
હકીકતમાં દાયકાઓથી કટ્ટર હરીફ રહેલા ઈરાન અને ઈઝરાયેલ આમને-સામને છે. દૂતાવાસ પર હુમલા બાદ ઈરાન યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. માનવામાં આવી રહ્યું છે કે ઈરાન આગામી 24થી 48 કલાકમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે. ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના કમાન્ડર અને તેના કેટલાક સભ્યો 1 એપ્રિલના રોજ દૂતાવાસ પર થયેલા હુમલામાં માર્યા ગયા હતા. જે બાદ બંને દેશો વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચી ગયો હતો.
વિદેશી મીડિયા વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટ અનુસાર ઈરાન પહેલા ઈઝરાયેલની સરહદોને નિશાન બનાવી શકે છે. હાલમાં બંને દેશોની સેના સંપૂર્ણ એલર્ટ મોડ પર છે. ઈરાન તરફથી હુમલાની શક્યતાને જોતા અમેરિકા પણ એલર્ટ પર છે.
આ પણ વાંચો:વાયુસેનાને મળશે 97 LCA માર્ક 1A ફાઈટર એરક્રાફ્ટ, રક્ષા મંત્રાલયે HALને આપ્યું 65000 કરોડનું ટેન્ડર
આ પણ વાંચો:હિંદ મહાસાગરને ચીનના પ્રભાવથી મુક્ત રાખવા ભારત-અમેરિકા સાથે આવશે
આ પણ વાંચો:કોણ છે ગોપી થોટાકુરા? બનશે ભારતના પહેલા સ્પેસ ટુરિસ્ટ
આ પણ વાંચો:હરિયાણા બાદ દિલ્હીમાં બસ અકસ્માત દુર્ઘટના, માંડ માંડ બચ્યો બાળકોનો જીવ