બનાસકાંઠા : ફાયર સેફટીના નામે સરકારી કચેરીમાં ઘોર બેદરકારી જોવા મળી. ધાનેરા મામલતદાર કચેરીમા ફાયર સેફટીના કોઈ સુવિધા જોવા ના મળી. કચેરીમાં ફસ્ટ ફ્લોર પર ફાયર સેફટી સાધનો જ નથી. જનસેવા કેન્દ્રમાં નામ પૂરતી ફાયરસેફ્ટીની ચાર બોટલ છે. આ બોટલ પરની માહિતી પરથી દેખાય છે કે તેને 2019 પછી રીન્યુ કરવામાં આવી નથી. બોટલ પર એક્સપાયર તારીખ પણ જોવા ના મળી. સરકારી કચેરીમાંમોટી સંખ્યામાં અરજદારોની અવરજવર રહે છે છતાં પણ સુરક્ષા મામલે લાપરવાહી જોવા મળી.
રાજકોટની ગેમઝોન દુર્ઘટનામાં 28થી વધુ લોકોના મોત નિપજયા. ગેમઝોન અગ્નિકાંડ મામલે રાજ્યમાં અત્યારે સરકારી કચેરીઓ અને જાહેર બાંધકામોને લઈને ફાયરસેફ્ટી મામલે તપાસ કરવામાં આવી રહી છે. આટલી મોટી દુર્ઘટના બાદ પણ રાજ્યમાં મોટા મોલ, એમ્યુઝમેન્ટ પાર્ક પર ઘોર બેદરકારી જોવા મળી છે. સરકારે લોકોના મોઢાં બંધ કરવા નામ પૂરતી કાર્યવાહી કરી છે. પરંતુ હજુ પણ કેટલાક મોલ અને સરકારી કચેરીઓમાં પણ ફાયરસેફ્ટીના નામે મીંડુ જોવા મળ્યું છે.
આ પણ વાંચો:ઓડિશામાં ભાજપના ઉમેદવાર પર લાગ્યો EVM તોડફોડનો આરોપ
આ પણ વાંચો:દિલ્હી એરપોર્ટ પરથી મુસાફરોને લઈ જતી ફ્લાઈટનું ફરી આવ્યું લેન્ડિંગ,મોટી દુર્ઘટના ટળી