રાજસ્થાન સરકારે શુક્રવારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું હતું કે બળાત્કારના બે કેસમાં આજીવન સજા ભોગવી રહેલા આસારામને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. રાજસ્થાન સરકાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મનીષ સિંઘવીએ જસ્ટિસ ઈન્દિરા બેનર્જી અને ન્યાયાધીશ એમ.આર. શાહની ખંડપીઠને કહ્યું હતું કે, હરિદ્વારના આયુર્વેદિક કેન્દ્રમાં સ્થળાંતર કરવાની આસારામની અરજી અર્થહીન બની ગઈ છે, કારણ કે તેમને હોસ્પિટલમાં દાખલ થવાને કારણે સ્થળાંતર કરવું અસંભવ છે.
આસારામ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાએ જણાવ્યું હતું કે કોર્ટે તેમના અસીલના મેડિકલ રેકોર્ડ્સ મંગાવા જોઈએ કારણ કે અમને ખબર નથી કે આસારામની શું બિમારી છે અને હોસ્પિટલ વહીવટ તેમને તેમના ક્લાયન્ટ વિશેની વિગતો આપશે નહીં. જોકે, બેંચના ન્યાયાધીશોએ જણાવ્યું હતું કે તેઓ ઉનાળાના વેકેશન બાદ કોર્ટ ખોલતા સુધી આ મામલાની સુનાવણી મુલતવી રાખે છે.
નોંધપાત્ર વાત એ છે કે, આસારામે આશ્રમની યુવતી પર બળાત્કાર ગુજારવાના દોષી છે, તે જોધપુર સેન્ટ્રલ જેલમાં બંધ હતા. થોડા સમય પહેલા તબિયત ખરાબ હોવાને કારણે તેમને એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોધપુરના એઈમ્સમાં દાખલ આસારામની તબિયત લથડી રહી છે. પેશાબના ચેપમાં વધારો થતાં, હવે તેનું ઓક્સિજનનું સ્તર વધઘટ થાય છે. દરમિયાન, તેના ટેકેદારો હોસ્પિટલની બહાર ભેગા થયા છે, તેમને ઝડપથી સ્વસ્થ થવાની ઇચ્છા રાખે છે.