Dahod News/ દાહોદમાં ખાણખનીજ વિભાગ રેત માફિયા પર ત્રાટક્યુ, 6 કરોડનો માલ જપ્ત

દાહોદમાં ખાણખનીજ વિબાગ રેતમાફિયા પર ત્રાટકતા સનસનાટી મચી ગઈ છે. ખાણખનીજ વિભાગની કાર્યવાહીના પગલે રેતમાફિયાઓમાં રીતસરનો સન્નાટો વ્યાપી ગયો છે. ખાણખનીજ વિભાગે દાહોદના પંચેલા ગામેથી કરોડો રૂપિયાનું રેત ચોરીનું કૌભાંડ પકડ્યુ છે.

Gujarat Others Breaking News

Dahod News: દાહોદમાં ખાણખનીજ વિબાગ રેતમાફિયા પર ત્રાટકતા સનસનાટી મચી ગઈ છે. ખાણખનીજ વિભાગની કાર્યવાહીના પગલે રેતમાફિયાઓમાં રીતસરનો સન્નાટો વ્યાપી ગયો છે. ખાણખનીજ વિભાગે દાહોદના પંચેલા ગામેથી કરોડો રૂપિયાનું રેત ચોરીનું કૌભાંડ પકડ્યુ છે.

ખાણખનીજ વિભાગની કાર્યવાહીએ રેત માફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. અત્યાર સુધી બેખોફ ચોરી કરતાં રેતમાફિયા સરકારની આ કાર્યવાહીના લીધે સ્તબ્ધ થઈ ગયા છે. હોટેલના પાર્કિંગમાંથી રેતીને ઓવરલોડ કરતી 17 ટ્રકો ઝડપવામાં આવી છે. ખાણખનીજ વિભાગે આ કાર્યવાહીમાં કુલ રૂ. 6 કરોડનો મુદ્દામાલ ઝડપ્યો છે. તેમા 40 લાખ રૂપિયાથી પણ વધુ વસૂલાત થાય તેવી સંભાવના છે.

દાહોદમાં રેતમાફિયા બેફામ બન્યા છે ત્યારે તેમની સામે નક્કર કાર્યવાહી કરવાની જરૂરિયાત વર્તાતી જ હતી. તેમના પર લગામ નાખવું જરૂરી થઈ પડ્યું હતું. તેઓ એકદમ નિરંકુશ બની ગયા હતા, હવે તેમની સામે કાર્યવાહી કરવામાં આવતા દાહોદના લોકોમાં આનંદ વ્યાપી ગયો છે, જ્યારે માફિયાઓ ચૂપ થઈ ગયા છે.

આ ઉપરાંત તંત્રએ જણાવ્યું છે કે આગામી સમયમાં પણ તે રેત માફિયા કે બીજા ખનીજ માફિયા સામે આ પ્રકારની કાર્યવાહી કરવાનું જારી જ રાખવાનું છે. આ કાર્યવાહી છેલ્લી અને અંતિમ નથી. તંત્ર જ્યાં-જયાં પણ રેતચોરી થતી હશે અને ગેરકાયદેસર ખનન થતું હશે ત્યાં કાર્યવાહી કરશે જ, તેથી હવે ચેતવાનો સમય આ માફિયાઓનો છે. જો તેઓ તેમની ગેરકાયદેસરની પ્રવૃત્તિ બંધ નહીં કરે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: આણંદમાં રેત માફિયા બેફામ, મંતવ્ય ન્યુઝનું મેગા ઓપરેશન “કુદરતના દુશ્મન”

આ પણ વાંચો: રેત માફિયાઓના ખાડાઓ બન્યા જીવલેણ, સાબરમતી નદીમાં વધુ પાંચ યુવક ડૂબ્યા

આ પણ વાંચો: રેત ખનન માફિયા બેફામ, મનુષ્ય જીવન અને પર્યાવરણને નુકસાન