સમગ્ર ગુજરાતની જનતાના નાથ મુખ્યમંત્રી રૂપાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સમગ્ર ગુજરાતની જનતા તેમના સારા સ્વાસ્થ્ય માટે શુભેચ્છા પાઠવી રહી છે. ગુજરાતના જ નહીં પરંતુ સમગ્ર દેશમાં બાપુ તરીકે પ્રસિદ્ધ કથાકાર મોરારીબાપુએ મુખ્યમંત્રી ની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરી છે.તેમજ તેમણે પત્ર લખી અને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને તેઓ ત્વરિત સાજા થાય તેવી શુભેચ્છા પાઠવી છે.બાપુએ સ્વહસ્તાક્ષરમાં પત્ર લખ્યો છે. તેમજ આ પત્રમાં તેઓએ શું લખ્યું છે ચાલો જાણીએ.
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…