રાજકોટ/ સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં કાલથી દિવાળી વેકેશન પડી જશે

હવે દિવાળી બાદ પુરબહારમાં નવી જણસીની આવક શરૂ થશે. હાલ કપાસ અને મગફળીના ભાવ સારા મળી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ખુશાલી જોવા મળી રહી છે.

Gujarat Rajkot
Untitled 30 સૌરાષ્ટ્રના મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં કાલથી દિવાળી વેકેશન પડી જશે

દિવાળીના તહેવારના આડે હવે બે દિવસ જ બાકી રહ્યાં છે ત્યારે   અનેક  એકમોમાં રજાનો માહોલ જોવા  મળશે . ત્યારે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના માર્કેટીંગ યાર્ડમાં દિવાળીનું વેકેશન પડી જશે. સતત છ દિવસ સુધી યાર્ડ બંધ રહેશે અને લાભ પાંચમથી ફરી યાર્ડો ધમધમતા થશે. ચોમાસાની સીઝનમાં સારો વરસાદ પડતા મબલખ પાકનું ઉત્પાદન થયું છે. ગઈકાલથી મોટાભાગના માર્કેટીંગ યાર્ડમાં તમામ પ્રકારની જણસીની આવક બંધ કરી દેવામાં આવી છે. બજારોમાં પણ હવે દિવાળીનો માહોલ બરાબરનો જામ્યો છે. ચિક્કાર ગરદી જોવા મળી રહી છે. દિવાળીના તહેવારો નજીક આવતા હવે યાર્ડમાં પણ ખેડૂતો માલ લાવતા નથી.

આ પણ વાંચો ;આરોગ્ય કર્મચારીઓની રજૂઆતને સફળતા / દિવાળીના તહેવારમાં નોકરીનો સમય માત્ર 4 કલાક જ રહેશે

સૌરાષ્ટ્રમાં એકાદ-બે માર્કેટીંગ યાર્ડમાં આજથી જ દિવાળી વેકેશન પડી ગયું છે. દરમિયાન રાજકોટ, ધોરાજી, જામનગર સહિતના માર્કેટીંગ યાર્ડમાં આવતીકાલથી સતત છ દિવસ સુધી દિવાળીનું વેકેશન પડી જશે. ગઈકાલથી માલની આવક બંધ કરી દેવામાં આવી છે. હાલ જે હાલ જે માલ સ્ટોકમાં છે તે તમામ માલની હરરાજી કરી દેવામાં આવશે. આવતીકાલથી આગામી સોમવાર સુધી માર્કેટીંગ યાર્ડ બંધ રહેશે. મંગળવારથી ફરી યાર્ડો ધમધમતા થશે અને સૌપ્રથમ વેપારીઓ દ્વારા મુહૂર્તના સોદા પાડવામાં આવશે અને ત્યારબાદ વિવિધ જણસીઓની હરરાજી શરૂ કરવામાં આવશે.

નવરાત્રીથી જ નવી મગફળી અને કપાસની આવક શરૂ થઈ જવા પામી છે. હવે દિવાળી બાદ પુરબહારમાં નવી જણસીની આવક શરૂ થશે. હાલ કપાસ અને મગફળીના ભાવ સારા મળી રહ્યાં છે. જેના કારણે ખેડૂતોમાં પણ ભારે ખુશાલી જોવા મળી રહી છે.

આ પણ વાંચો ;રાજકોટ /  ઋષિકેશમાં રાજકોટના પરિવારના 3 સભ્યો નદીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું