દેશમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અને વધતા કોરોના સામે કેન્દ્ર સરકાર દ્રારા રાજ્યોને કોરોના સામે કડક વલણ અપનાવાનું કહેડાવ્યું છે. ત્યારે હાલ તો દેશમાં કોરોનાએ ખુબ જ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે.
- દેશમાં સતત વધી રહ્યો છે કોરોનાના કેસ
- વોર્ડ વોર રૂમની મંજૂરી બાદ જ દર્દીને દાખલ કરાશે
બૃહ્ન્મુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)એ મુંબઈમાં કોરોનાને કારણે વિકટ પરિસ્થિતિઓ વચ્ચે ખાનગી હોસ્પિટલો માટે નવી ગાઈડલાઇન બહાર પાડી છે. જે અનુસાર ખાનગી હોસ્પિટલોમાં 80% બેડ અને 100% ICU બેડ કોરોના દર્દીઓ માટે રિઝર્વ રાખવાના રહેશે. કોરોનાના દર્દીઓને વોર્ડ વોર રૂમમાંથી બેડ ફાળવવામાં આવશે. હોસ્પિટલોમાં દર્દીઓની સીધા દાખલ કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.સાથે જ દેશના અલગ અલગ રાજ્યોમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે. અને રાજ્ય સરકાર દ્રારા પણ કોરોના સામે વધુ સર્તકતા દેખાઈ રહી છે.
- મહારાષ્ટ્રમાં ગત દિવસ કરતાં 10 હજાર ઓછા કેસ સામે આવ્યા
- પંજાબમાં 59 લોકોનાં મોત, મહારાષ્ટ્ર બાદ બીજા નંબર પર
- મધ્યપ્રદેશમાં એક્ટિવ કેસ 15,000ને પાર
- ગુજરાતમાં મૃત્યુનો આંક 4,500 પર પહોંચ્યો
- હરિયાણામાં 4 દિવસ બાદ 1000થી ઓછા કેસ નોંધાયા
દેશમાં કોરોનાના વધતા કેસ સામે હાલ સરકારની ગાઈડલાીનનું પાલન કરવું જરૂરી છે. અને માસ્ક અને સોશિયલ ડિસ્ટનસનું પણ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે જ કોરોનાને હરાવી શકાશે. તો દરેક દેશમાં અનેક ગાઈડલાઈન પણ બહાર પાડજવામાં આવી છે. અને કોરોનાની સામે જંગ લડવા માટે સરકાર પણ સર્તક બની છે.