મહારાષ્ટ્રમાં રાજનીતિક ઘમાસાન હજુ પણ ચાલી રહ્યુ છે. મહારાષ્ટ્રમાં સરકારની રચના અંગેની અનિશ્ચિતતા હજુ પણ ખતમ થવાનું નામ નથી લઈ રહી. જ્યારે એક તરફ રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવામાં આવ્યું છે. વળી કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાનાં પોતાના નેતાઓ સાથે બેઠકોનું ચક્ર ચાલી રહ્યું છે. દરમિયાન શિવસેનાનાં નેતા સંજય રાઉતે વધુ એક ટ્વીટ કરીને કહ્યું છે કે હારવાની અને ડરવાની મનાઇ છે.
સંજય રાઉતે ટ્વીટ કર્યું હતું કે ‘હાર જ્યારે સ્વીકારાય ત્યારે થાય છે. વિજય ઠાની લીધા બાદ થાય છે.’ રાઉતે આ પોસ્ટને કેપ્શન આપ્યુ છે- હવે હારવુ અને ડરવું મનાઈ છે. વિધાનસભાની ચૂંટણીથી શિવસેના સતત ભાજપ પર પ્રહાર કરી રહી છે. પરિણામો બાદ પાર્ટીએ ભાજપ સામે 50-50 શરત મૂકી હતી. શિવસેનાએ માંગ કરી હતી કે રાજ્યમાં અઢી વર્ષનો મુખ્યમંત્રી હોવો જોઈએ, જેને ભાજપે સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.
ત્યારબાદ બંને પક્ષ સરકાર બનાવવા માટે સમજૂતી કરી શક્યા નહીં. હવે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસનની વચ્ચે શિવસેના, એનસીપી અને કોંગ્રેસ સરકાર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ લગભગ ત્રણ અઠવાડિયા વીતી ગયા પછી પણ મહારાષ્ટ્રમાં સરકાર બનાવવામાં સરકાર સક્ષમ બની નથી. આ માટે કોંગ્રેસે કોમન મિનિમમ પ્રોગ્રામ નક્કી કરવા માટે એક કમિટી બનાવી છે જે એનસીપી સાથે વાત કરી રહી છે. આ બધાની વચ્ચે પહેલીવાર ગૃહમંત્રી અમિત શાહનું નિવેદન શિવસેના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપો પર આવ્યું છે.
અમિત શાહે શિવસેના દ્વારા લગાવવામાં આવેલા આક્ષેપોને નકારી કાઢતાં કહ્યું હતું કે ‘ચૂંટણી પહેલા વડા પ્રધાન અને મેં જાહેરમાં કહ્યું હતું કે જો આપણું જોડાણ જીતે તો દેવેન્દ્ર ફડણવીસ સીએમ બનશે. ત્યારે કોઈએ વાંધો ઉઠાવ્યો ન હતો. હવે તે નવી માંગ સાથે આવ્યા છે, જેને અમે સ્વીકારતા નથી. રાષ્ટ્રપતિ શાસન અંગે તેમણે કહ્યું કે, આ પહેલા કોઈ રાજ્ય સરકારે સરકાર બનાવવા માટે 18 દિવસ જેટલો સમય આપ્યો ન હતો. રાજ્યપાલે વિધાનસભાની મુદત પૂરી થયા પછી જ પક્ષકારોને આમંત્રણ આપ્યું હતું.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.