વિધાન ભવનમાં બેઠક બાદ સાંસદના પુત્ર અભિનવ ડેલકરે આક્ષેપ કર્યો હતો કે, “મારા પિતાને અપમાનિત કરવામાં એડમિનિસ્ટ્રેટર પ્રફુલ પટેલે કોઈ કસર છોડી નથી.” બ્લેકમેલ અને ગેરવસૂલી રણનીતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. “
મુંબઈ પોલીસે લોકસભાના સાંસદ મોહન ડેલકર (Mohan Delkar) ના મોત અંગે FIR નોધી છે. દાદરા અને નગર હવેલીના સાત વખતના લોકસભાના સાંસદ મોહન ડેલકર 22 ફેબ્રુઆરીએ મુંબઇની એક હોટલમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ગુજરાતનાં માજી ગૃહમંત્રી સામે આ કેસમાં ફરિયાદ નોધવામાં આવી છે. મુંબઇ પોલીસમાં ગુજરાતરાજ્યના પૂર્વ ગૃહ મંત્રી અને દીવ-દમનના પ્રશાસક પ્રફુલ પટેલ (Praful Patel) સામે આ કેસમાં ફરિયાદ થતાં ચકચાર મચી છે. મોહન ડેલકર આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો છે. દાદરા નગર હવેલીનાં કલેકટર વિરુદ્ધ ફરિયાદ નોધાઇ છે.
એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ડેલકરના પરિવારના સભ્યો મંગળવારે મરીન ડ્રાઇવ પોલીસ સ્ટેશન પહોંચ્યા અને ફરિયાદ નોંધાવી. અધિકારીએ જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા આત્મહત્યાના પ્રહાર અને એટ્રોસિટી નિવારણ અધિનિયમની જોગવાઈઓ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
- પૂર્વ પોલીસ સુપ્રિ.વિરુદ્ધ નોંધાઇ પોલીસ ફરિયાદ
- આગામી સમયમાં પોલીસ કરશે સઘન તપાસ
મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ મંગળવારે કહ્યું હતું કે આ કેસની તપાસ માટે ખાસ SITની ટીમ ડેલકરની કથિત આત્મહત્યાની તપાસ કરશે.
દેશમુખે વિધાનસભામાં કહ્યું હતું કે, ડેલકરની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રશાસક પ્રફુલ્લ ખોડા પટેલ તેમને પજવણી કરે છે. ડેલકરના પુત્ર અને પત્નીએ મંગળવારે વિધાન ભવનમાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે (Uddhav Thackeray) ને પણ મળ્યા હતા.
વિધાન ભવનમાં બેઠક બાદ સાંસદના પુત્ર અભિનવ ડેલકરે (Abhinav Delkar) આક્ષેપ કર્યો હતો કે, “મારા પિતાને અપમાનિત કરવામાં એડમિનિસ્ટ્રેટરે કોઈ કસર છોડી નથી.” બ્લેકમેલ અને ગેરવસૂલી રણનીતિનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. “