જૌનપુર,
દેશની કોઈ પણ સ્કૂલ કે યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓને ભણતરના પાઠ ભણાવવામાં આવતા હોય છે, પરંતુ દેશના સૌથી મોટા રાજ્ય એવા ઉત્તરપ્રદેશમાં એક યુનિવર્સીટીના કુલપતિ જ હવે વિદ્યાર્થીઓને ઝગડો થયા પર મર્ડર કરવા માટે કહી રહ્યા છે.
હકીકતમાં, ઉત્તરપ્રદેશમા જૌનપુર સ્થિત બહાદુર સિંહ પૂર્વાંચલ યુનિવર્સીટીના કુલપતિ રાજારામ યાદવ એક સેમિનારને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું હતું કે, “યુવાન છાત્ર એ હોય છે જેઓ પર્વતની ચટ્ટાનોમાં પોતાનો પગ મારે છે ત્યારે પાણીની રેલ નીકળે છે. વિધાર્થી પોતાના જીવનમાં સંકલ્પ લે છે તેને પોતાની આંખોથી પૂરો કરે છે, તેઓને જ પૂર્વાંચલ યુનિવર્સીટીના વિધાર્થી કહેવાય છે”.
તેઓએ વધુમાં કહ્યું, “ જો વિદ્યાર્થી મારી પાસે રડતો આયો તો, હું તેને જણાવું છું કે, જો કોઈ ઝગડો થઇ જાય તો મારપીટ કરીને જ આવજો અને તમારું ચાલે તો તેઓનું મર્ડર કરીને આવજો, ત્યારબાદ અમે જોઈ લઈશું”.