બિહારમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ નિત્યાનંદ રાયે એક વિવાદિત નિવેદન આપ્યું છે. નિત્યાનંદ રાયે પીએમ મોદીનો વિરોધ કરનારાઓને ધમકી આપતા કહ્યું, “મોદીની વિરુધ ઉઠનારી આંગળી અને ઉઠનારા હાથ આપણે બધા મળીને તોડી નાખીએ, અને જરૂર પડ્યે કાપી પણ નાખીશું”.
આ નિવેદન બાદ રાજકારણમા ગરમાવો જોવા મળી રહ્યો છે. આરજેડી પ્રમુખ લાલુપ્રસાદ યાદવે પણ અંગે પ્રતિક્રિયા આપી હતી. તેઓએ જણાવ્યું, બીજેપી કઈ વાત પર ગર્વ કરી રહી છે, તેમની પાસે ગર્વ કરવા જેવું કશું જ નથી