Not Set/ છત્તીસગઢ : દંતેવાડામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી પોલીસ વાહનને ઉડાવ્યું, છ જવાન શહીદ

દંતેવાડા, છત્તીસગઢના દંતેવાડા સ્થિત ચોલનાર ગામમાં નક્સલીઓએ એક પોલીસના વાહનને આઈઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી દીધું હતું. જેમાં આર્મ્ડ ફોર્સના ૬ જવાન શહીદ થયા છે જયારે બે જવાન ઘાયલ થયા છે. આ હુમલામાં નક્સલીઓએ આઈઈડીનો ઉપયોગ કર્યો હતો. નક્સલીઓ દ્વારા કરાયેલા આઈઈડી બ્લાસ્ટમાં એક પોલીસનું વાહન આવી ગયું હતું. આ બ્લાસ્ટમાં પોલીસ વાનમાં સવાર છત્તીસગઢ આર્મ્ડ […]

Top Stories India Trending
ch છત્તીસગઢ : દંતેવાડામાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કરી પોલીસ વાહનને ઉડાવ્યું, છ જવાન શહીદ

દંતેવાડા,

છત્તીસગઢના દંતેવાડા સ્થિત ચોલનાર ગામમાં નક્સલીઓએ એક પોલીસના વાહનને આઈઈડી બ્લાસ્ટ કરીને ઉડાવી દીધું હતું. જેમાં આર્મ્ડ ફોર્સના ૬ જવાન શહીદ થયા છે જયારે બે જવાન ઘાયલ થયા છે.

આ હુમલામાં નક્સલીઓએ આઈઈડીનો ઉપયોગ કર્યો હતો. નક્સલીઓ દ્વારા કરાયેલા આઈઈડી બ્લાસ્ટમાં એક પોલીસનું વાહન આવી ગયું હતું. આ બ્લાસ્ટમાં પોલીસ વાનમાં સવાર છત્તીસગઢ આર્મ્ડ ફોર્સના ત્રણ જવાન અને ડિસ્ટ્રીકટ ફોર્સના ૩ જવાન મળીને કુલ છ જવાન શહીદ થઈ ગયા હતા. જયારે અન્ય બે જવાન ઘાયલ થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

https://twitter.com/ani_digital/status/998124681495539712

પ્રાપ્ત માહિતી અનુસાર, પોલીસના જવાનો એક ઝાયલો ગાડી લઈને જઈ રહ્યા હતા. જવાનોના મૂવમેન્ટની ખબર નક્સલિયોને પહેલેથી જ હતી અને જયારે આ ગાડી ટાર્ગેટમાં આવી ત્યારે તેઓએ IED બ્લાસ્ટ કરીને ઉડાવી દીધી હતી.

નક્સલિયોએ બ્લાસ્ટ કર્યાં બાદ પોલીસના જવાનો પાસેથી તેઓના મોબાઈલ, વાયરલેસ સેટ સહિત પાંચ રાઈફલ અને બે AK – ૪૭ લુંટી લીધી હતી.

દંતેવાડાના SSP જી એન બઘેલના જણાવ્યા અનુસાર, દંતેવાડાના ચોલનાર અને કરિંદુલ વચ્ચે આ ઘટના થઇ હતી. હકીકતમાં, આ વિસ્તારમાં રસ્તાનું કામ ચાલી રહ્યું હતું અને આ દરમિયાન સુરક્ષા માટે જવાનો નીકળ્યા હતા ત્યારે નક્સલિયોએ આ ઘટનાને અંજામ આપ્યો હતો.