Not Set/ કુંભમાં મળી યોગીની કેબિનેટ, ગંગા એક્સપ્રેસ વેના નિર્માણ સહિત કરાયા આ નિર્ણયો

પ્રયાગરાજ, પ્રયાગરાજ આયોજિત કરાયેલા દુનિયાના સૌથી મોટા આસ્થાના મહાપર્વ કુંભમાં રાજ્ય સરકારની એક કેબિનેટ બેઠક યોજવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે. Uttar Pradesh Chief Minister Yogi Adityanath chairs Cabinet meeting at Prayagraj. pic.twitter.com/HFr4QskFbB — ANI UP/Uttarakhand (@ANINewsUP) January 29, 2019 CM યોગીએ એલાન કરતા […]

Top Stories India Trending

પ્રયાગરાજ,

પ્રયાગરાજ આયોજિત કરાયેલા દુનિયાના સૌથી મોટા આસ્થાના મહાપર્વ કુંભમાં રાજ્ય સરકારની એક કેબિનેટ બેઠક યોજવામાં આવી રહી છે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં અનેક મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવ્યા છે.

CM યોગીએ એલાન કરતા કહ્યું છે કે, પશ્ચિમી ઉત્તરપ્રદેશના મેરઠથી લઈ પ્રયાગરાજ સુધી ગંગા એક્સપ્રેસ વે બનાવવામાં આવશે અને તે પૂરી રીતે ગંગાના કિનારે બનાવવામાં આવશે.

આ ગંગા એક્સપ્રેસ વે ૬ લેનનો હશે અને આ માટે કુલ ૩૬,૦૦૦ કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ સાથે યોગી આદિત્યનાથે દાવો કર્યો છે કે, આ એક્સપ્રેસ વે દુનિયાનો સૌથી લાંબો એક્સપ્રેસ વે હશે.

આ ગંગા એક્સપ્રેસ વે મેરઠ, અમરોહા, બુલંદશહેર, બદાયું, શાહજહાંપુર, ફર્રુખબાદ, હરોદઈ, કન્નૌજ, ઉન્નાવ, રાયબરેલી, પ્રતાપગઢથી પ્રયાગરાજ સુધી પહોચશે.

કેબિનેટ બેઠકમાં નિર્ણય કરાયો છે કે, બુંદેલખંડ એક્સપ્રેસ વેનું પણ ઝડપથી નિર્માણ કરવામાં આવશે. સાથે સાથે ખેડૂતોની ઇન્કમ પણ બેગણી કરવા માટે કેટલાક મહત્વના નિર્ણય કરાયા છે.

આ ઉપરાંત ભારતીય સેનાખાસ ઓપરેશન સર્જિકલ સ્ટ્રાઈક પર બનેલી ફિલ્મ “ઉરી” : ધ સર્જિકલ સ્ટ્રાઈકને રાજ્યમાં ટેક્સ ફ્રી કરવામાં આવી છે.