Not Set/ નોઇડા : મકાનમાં શોર્ટ-સર્કીટને લીધે આગ લાગવાને લીધે ૧૨ લોકો દાઝી ગયા, ૫ ગંભીર

નોઇડા નોઇડામાં બહલોલપુર ગામમાં રવિવારે રાત્રે એક મકાનમાં આગ લાગી હતી. આ આગના લીધે ૧૨ લોકો દાઝી ગયા હતા. ફાયરબ્રિગેડના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું જે આ મકાનમાં ૨૪થી પણ વધુ લોકો ભાડે રહેતા હતા. રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે શોર્ટ-સર્કીટના લીધે આગ લાગી હતી જેને લીધે મોટરસાઇકલ પણ બળીને ખાખ થઇ ગઈ હતી. થોડી જ […]

Top Stories India
firemgn85 1 નોઇડા : મકાનમાં શોર્ટ-સર્કીટને લીધે આગ લાગવાને લીધે ૧૨ લોકો દાઝી ગયા, ૫ ગંભીર

નોઇડા

નોઇડામાં બહલોલપુર ગામમાં રવિવારે રાત્રે એક મકાનમાં આગ લાગી હતી. આ આગના લીધે ૧૨ લોકો દાઝી ગયા હતા. ફાયરબ્રિગેડના મુખ્ય અધિકારીએ જણાવ્યું હતું જે આ મકાનમાં ૨૪થી પણ વધુ લોકો ભાડે રહેતા હતા.

રવિવારે રાત્રે સાડા દસ વાગ્યે શોર્ટ-સર્કીટના લીધે આગ લાગી હતી જેને લીધે મોટરસાઇકલ પણ બળીને ખાખ થઇ ગઈ હતી.

થોડી જ વારમાં આ આગ આખા મકાનમાં ફેલાઈ ગઈ હતી. આગના લીધે મકાનમાં રહેતા લોકો દોડાદોડી કરવા લાગ્યા હતા. લોકો સીડી દ્વારા નીચે ઉતરતા હતા તે દરમ્યાન આગની ઝપેટમાં આવી ગયા હતા. આ ઘટનામાં આશરે ૧૨થી પણ વધુ લોકો દાઝી ગયા છે જેમાંથી ૫ લોકોની હાલત ગંભીર છે.

આગ જે જગ્યાએ લાગી હતી તે જગ્યાએ ફાયર બ્રિગેડની ટીમને પહોચવું મુશ્કેલ થઇ પડ્યું હતું. પોલીસ અને આસપાસના લોકોએ પણ આ આગને કાબુમાં લાવવા માટેની મદદ કરી હતી.