ગણતંત્ર દિવસની પુર્વ સંધ્યા એટલે કે ગુરૂવારે પદ્મ પુરસ્કારોની જાહેરાત કરવામાં આવનાર છે. ગત વર્ષે 89 એવોર્ડ આપવામાં આવ્યાં હતા. અત્રે ઉલ્લેખનીય છે કે, આઝાદી પછી ગત વર્ષ સુધીમાં 4,417 હસ્તીઓને દેશના સૌથી પ્રતિષ્ઠિત એવા પદ્મ એવોર્ડ આપવામાં આવ્યાં છે.
દેશમાં અલગ અલગ ફીલ્ડમાં કેટલાંક એવા સફળ અને ઉમદા કામ કરનારા હીરોઝ છે, જેઓને આ પદ્મ એવોર્ડ્સ મળવાં જોઈએ. ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી 45 ભારત રત્ન, 300 પદ્મ વિભૂષણ, 1,232 પદ્મ ભૂષણ અને 2,840 પદ્મ શ્રી એવોર્ડ અપાયા છે.
સરકારે ગુરવારે વર્ષ 2018ના પદ્મ સમ્માન મેળવનારી હસ્તીઓના નામની જાહેરાત કરી દીધી છે. જેમાં કુલ 85 લોકોને પદ્મ સમ્માન આપવામાં આવશે. જેમાં ૩હસ્તીઓને પદ્મ વિભૂષણ, 9ને પદ્મ ભૂષણ અને 73ને પદ્શ્રી સમ્માન આપવાની જાહેરાત કરી છે.
- ઝવેરીલાલ મહેતા (લિટરેચર એન્ડ એજ્યુકેશન જર્નાલિઝમ)
- એસ એસ રાઠોડ ( સિવિલ સર્વિસ )
- ડો. પંકજ શાહ ( મેડીસીન ઓન્કોલોજી)
- મનોજ જોશી ( ગુજરાતી અભિનેતા )
આ વર્ષે 15,700થી વધુ લોકોએ પદ્મ પુરસ્કાર માટે ઓનલાઈન નોમિનેશન ફાઈલ કર્યાં છે. રમત ગમત ક્ષેત્રમાં મહેન્દ્ર સિંહ ધોની અને પંકજ અડવાણીને પદ્મ ભૂષણનું સમ્માન મળ્યું છે.
પદ્મ એવોર્ડનું સંપૂર્ણ લિસ્ટ-