Not Set/ “કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી રહેવાની”, નફ્ફટ પાક. દ્વારા જવાનની બોડીને જે પ્રકારે ક્ષત-વિક્ષિત કરાઈ, તે વાંચીને તમારું લોહી ઉકળી જશે

શ્રીનગર, ગુજરાતી ભાષામાં કહેવત છે કે, એક કૂતરાની પૂંછડી ગમે તેટલી જમીનમાં દાટો પણ તે હમેંશા વાંકી ને વાંકી જ રહેશે, ત્યારે આ જ પ્રકારે કંઈક દુનિયાના એક નફ્ફટ અને બદનામ દેશની પૂંછડી પણ સુધારવાનું નામ લેતી નથી. આ દેશ છે, ગરીબીથી લાચાર અને બીજાના રૂપિયાની મદદે આતંક ફેલાવતો પાકિસ્તાન. આ મામલો છે જમ્મુ – કાશ્મીર […]

Top Stories India Trending
0akfn8ho narender kumar bsf soldier throat slit "કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી રહેવાની", નફ્ફટ પાક. દ્વારા જવાનની બોડીને જે પ્રકારે ક્ષત-વિક્ષિત કરાઈ, તે વાંચીને તમારું લોહી ઉકળી જશે

શ્રીનગર,

ગુજરાતી ભાષામાં કહેવત છે કે, એક કૂતરાની પૂંછડી ગમે તેટલી જમીનમાં દાટો પણ તે હમેંશા વાંકી ને વાંકી જ રહેશે, ત્યારે આ જ પ્રકારે કંઈક દુનિયાના એક નફ્ફટ અને બદનામ દેશની પૂંછડી પણ સુધારવાનું નામ લેતી નથી.

આ દેશ છે, ગરીબીથી લાચાર અને બીજાના રૂપિયાની મદદે આતંક ફેલાવતો પાકિસ્તાન.

BSF Logo "કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી રહેવાની", નફ્ફટ પાક. દ્વારા જવાનની બોડીને જે પ્રકારે ક્ષત-વિક્ષિત કરાઈ, તે વાંચીને તમારું લોહી ઉકળી જશે
national-pakistan-indian-jawan-bsf-soldier-narender-kumars-throat-slit-pak-troops-jammu-ramgarh

આ મામલો છે જમ્મુ – કાશ્મીર નો. જ્યાં, પાડોશી દુશ્મન દેશ અને અવરચંદાઈમાં માહિર પાકિસ્તાન દ્વારા BSF ના જવાન સાથે જે પ્રકારે હેવાનિયત આચરવામાં આવી છે તે જોઈને તમારું ખૂન ઉગલી શકે છે.

BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કર્યા બાદ આચરવામાં આવી ક્રૂરતા

હકીકતમાં, પાકિસ્તાનના સૈનિકો દ્વારા ૫૧ વર્ષીય BSFના જવાન નરેન્દ્ર સિંહનું અપહરણ કરીને લઇ ગયા હતા, અને ત્યારવાદ પાક.ના નપુંસક સૈનિકો દ્વારા માનવતાને નેવે મૂકવામાં આવી હતી.

પહેલા પાકિસ્તાન આ સૈનિકોએ BSFના જવાનું ગળું કાપી નાખ્યું, શરીર પર કરંટ લગાવ્યો. આટલું જ નહીં ત્યારબાદ આ જવાનનો એક પગ કાપી નાખ્યો,.

આ તમામ હેવાનીયત આચર્યા બાદ તેઓથી રહેવાયું નહિ તો, BSF ના જવાનની આંખો કાઢી નાખી અને નરેન્દ્ર સિંહે તડપાવવામાં આવ્યા અને અંતે ગોળીઓ દ્વારા છલ્લી કરી મોતને ઘાટ ઉતારવામાં આવ્યા.

આ હરકતો બાદ નરેન્દ્ર સિંહ નો ક્ષત વિક્ષિત હાલતમાં તેઓની મૃતદેહ ભારતીય સેનાના જવાનોને મળ્યો, ત્યારે તેઓ પણ જોઈને અચંબિત થઈ ગયા હતા..

સરકાર અને આર્મીના ઓફિસરો ઘોર નિદ્રામાં

sdumUQacceija "કૂતરાની પૂંછડી વાંકી ને વાંકી રહેવાની", નફ્ફટ પાક. દ્વારા જવાનની બોડીને જે પ્રકારે ક્ષત-વિક્ષિત કરાઈ, તે વાંચીને તમારું લોહી ઉકળી જશે

બીજી બાજુ હવે દેશની વિપક્ષી પાર્ટીઓ દ્વારા વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ પર નિશાન સાધવામાં આવી રહ્યું છે.

વિપક્ષ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના એ વાક્યો બોલીને હુમલો બોલવામાં આવી રહ્યું છે, જ્યાં તેઓએ કહ્યું હતું કે, પાકિસ્તાન સામે કાર્યવાહી કરવા માટે ૫૬ ઈંચની છાતી જોઈએ અને એકના માથાના બદલામાં ૧૦ માથા લાવવાની તાકાત જોઈએ.

હવે વિપક્ષ પણ આ જ દાવાઓને યાદ કરીને મોદી સરકાર પાસે જવાબ માંગી રહી છે, ત્યારે સરકાર દ્વારા આ મુદ્દે કોઈ જવાબ અપાયો નથી.

સેના દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી

આ ઉપરાંત સેનાના જવાનો દ્વારા પણ ચુપકીદી સેવવામાં આવી રહી છે. શહીદ નરેન્દ્રસિંહના પુત્ર મોહિતે કહ્યું હતું કે, “સરકાર દ્વાર્રા જણાવવામાં આવી રહ્યું નથી કે મારા પિતાનું મોત કેવી રીતે થયું છે. એટલા સુધી કે સેનાના ઓફિસરો પણ કઈ જણાવતા નથી.

સેનાની કાર્યવાહી અંગે એટલા માટે સવાલો ઉભા થયા છે કારણ કે, આ BSF જવાનનો મૃતદેહ જયારે ભારતીય સેનાને મળ્યો ત્યારે તેઓ દ્વારા હોસ્પિટલ લઈ જવાના બદલે કઈ બતાવ્યા વગર જ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

કેન્દ્રીય મંત્રી રાવ ઇન્દ્રજીત સિંહે આ મામલે જણાવ્યું હતું કે, “પાક. આ પ્રકારની બર્બરતા પહેલા પણ કરી ચુક્યું છે. તેઓ સીધી જંગમાં ભારતને હરાવી શકતા નથી એટલા માટે જવાનોને મારીને અમને કમજોર કરવાનું કોશિશ કરી રહ્યું છે”.