નવી દિલ્હી,
ફાઈનાન્સ મિનિસ્ટર અરુણ જેટલીની નાદુરસ્ત તબિયતના કારણે રેલ મંત્રી પિયૂષ ગોયલને કાર્યવાહક ફાઈનાન્સ મિનિસ્ટર બનાવાયાં છે.
શક્યતા એવી પણ છે કે 1 ફેબ્રુઆરીના રોજ લોકસભામાં બજેટ પણ પિયૂષ ગોયલ જ રજૂ કરે.
રાષ્ટ્રપતિ ભવન તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં જણાવાયું છે કે, “પીએમની સલાહ પર રાષ્ટ્રપતિએ પિયૂષ ગોયલને અરુણ જેટલી પાસે રહેલા કોર્પોરેટ અફેર્સ અને ફાઈનાન્સનો પ્રભાર સોંપ્યો છે”.
નિવેદનમાં એ પણ જણાવવામાં આવ્યું કે પીએમની સલાહ અનુસાર અરુણ જેટલી જ્યાં સુધી અસ્વસ્થ છે ત્યાં સુધી કે પછી જ્યાં સુધી તેઓ ફરીથી ફાઈનાન્સ અને કોર્પોરેટ અફેર્સ મિનિસ્ટ્રીનું કામકાજ સંભાળવા લાયક ન થઈ જાય ત્યાં સુધી કોઈ જ મંત્રાલય વગર મંત્રી રહેશે.
નાણાં મંત્રી અરુણ જેટલી બીમાર છે અને હાલ સારવાર માટે અમેરિકા છે. આ પહેલા પણ એકવાર જ્યારે તેમનું કિડની ટ્રાન્સપ્લાટનું ઓપરેશન થયું હતું ત્યારે પિયૂષ ગોયલને જ ફાઈનાન્સ વિભાગનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો હતો.