ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇ જોવા મળતા ધમાસાણ વચ્ચે રાજકીય પાર્ટીઓ દ્વારા એક બીજા લગાવવામાં આવતા આરોપ-પ્રત્યારોપ ચરમસીમાએ પહોચ્યા છે. ત્યારે રાહુલ ગાંધી પણ ગુજરાત અને ચુંટણીને લઇ પીએમ મોદીને દરરોજ એક પ્રશ્ન પૂછી રહ્યા છે.
સોમવારે રાહુલ ગાંધીએ લોકપાલ અંગે પીએમ મોદીને એક ૧૩ મો પ્રશ્ન પૂછતા જણાવ્યું, “ભારતીય જનતા પાર્ટીના ૨૨ વર્ષના શાસનનો ગુજરાત જવાબ માંગે છે કે, શા માટે સરકાર રાજ્યમાં લોકપાલ નીમવામાં નિષ્ફળ રહી. તમે ૨૨ વર્ષથી એક જવાબદાર સરકાર આપી રહ્યા છે તો શા માટે લોકપાલને દરકિનાર કર્યું ?”.