ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે થોડા દિવસ પહેલા હનુમાનજીને દલિત ગણાવ્યા હતા. ત્યારબાદ આ મુદ્દે ઘણો વિવાદ ચાલી રહ્યો છે. હવે, આ વિવાદમાં શંકરાચાર્યએ પણ ઝંપલાવ્યું છે.
શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતીએ જણાવ્યું કે, હનુમાનજીને દલિત ગણવા એ એમનું અપમાન છે. તુલસીદાસજીએ લખ્યું છે કે હનુમાનજી બ્રાહ્મણ હતા, દલિત નહિ.
એમણે આગળ જણાવ્યું કે, ભાજપમાં રામ મંદિર નિર્માણને લઈને ઈમાનદારી નથી. તેઓ ફક્ત રાજકીય લાભ ખાટવા માંગે છે. ઉપરાંત શંકરાચાર્યએ હનુમાનને દલિત ગણાવતા યોગી આદિત્યનાથના નિવેદનની નિંદા કરી હતી.