એક નાનકડી ભૂલને લીધે લોકો મુલ્યવાન જિંદગી ગુમાવી બેસતા હોય છે. આવો જ એક કેસ દિલ્લીમાં સામે આવ્યો છે.
૪ નવેમ્બરથી દિલ્લીમાં શરુ થયેલા સિગ્નેચર બ્રિજ પર શુક્રવારે એક મોટી દુર્ઘટના બની છે.આ દુર્ઘટનામાં બે બાઈક સવારના મોત થયા છે.
સુત્રોના જણાવ્યા પ્રમાણે શુક્રવારે સવારે બે બાઈક સવાર સિગ્નેચર બ્રિજ પરથી પસાર થઇ રહ્યા હતા. તેમની પાસે કેટીએમ બાઈક હતું.
સ્ટ્રીટ લાઈટના તારમાં તેમની બાઈક ફસાઈ ગઈ હતી અને બાઈક ડિવાઈડર સાથે અથડાઈ અને બન્ને પુલની નીચે રેતીમાં જઈને પડ્યા હતા. રેતીમાં પડવાને લીધે ઘટના સ્થળે જ તેમનું મોત થયું હતું.
તમને જણાવી દઈએ કે આ બાઈક જ્યાં અથડાઈ હતી ત્યાં ગણો મોટો ગેપ હતો જેને લીધે બાઈક રોકવાને બદલે પુલની નીચે પડી ગઈ હતી.
ઉલ્લેખનીય છે કે સિગ્નેચર બ્રિજનું ઉદ્ઘાટન થયું તે સમયથી જ તે આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. ઘણા લોકો આહિયા ફરવા માટે આવી રહ્યા છે.