ફ્રાંસ પાસેથી ખરીદવામાં આવતા લડાકૂ વિમાન રાફેલ ડીલ પર કોંગ્રેસ દ્વારા ઉઠાવવામાં આવી રહેલા સવાલો પર હવે સરકારે પણ જવાબ આપવાનું શરૂ કરી દિધું છે. મહત્વનું છે કે શુક્રવારે રેલમંત્રી પીયૂષ ગોયલ અને રક્ષા મંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું કે મોદી સરકારે ખરીદીનો જે તાત્કાલીક નિર્ણય લીધો હતો એ ભારતીય વાયુસેનાની જરૂરીયાતને ધ્યાનમાં રાખીને લીધો હતો.
કેબિનેટ મંત્રીઓના આ નિર્ણય બાદ આ ખરીદ પ્રક્રિયા સાથે જોડાયેલા દરેક તથ્ય સામે આવ્યાં છે, જે સ્થિતિને સ્પષ્ટ કરે છે.