Not Set/ અશોક ગેહલોતનો ભાજપ પર પ્રહાર

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ આંદોલનકારીઓને ખરીદી રહ્યા હોવાનો આક્ષેપો સાચા ગણાવ્યા હતા. BJP ના નેતાઓને આ વિશે જનતાને જવાબ ના આપવો પડે તે માટે BJP ના નેતાઓ ફોન બંધ રાખી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે લોકો આંદોલનકારીઓને ખરીદી રહ્યા છે તેમની […]

Gujarat
Ashok Gehlot L અશોક ગેહલોતનો ભાજપ પર પ્રહાર

કોંગ્રેસ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત અમદાવાદની મુલાકાતે છે ત્યારે તેમને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. અને ભાજપ આંદોલનકારીઓને ખરીદી રહ્યા હોવાનો આક્ષેપો સાચા ગણાવ્યા હતા. BJP ના નેતાઓને આ વિશે જનતાને જવાબ ના આપવો પડે તે માટે BJP ના નેતાઓ ફોન બંધ રાખી ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જે લોકો આંદોલનકારીઓને ખરીદી રહ્યા છે તેમની સામે આકરા પગલા લેવા જોઈએ.

વધુમાં ગેહલોતે જણાવ્યું કે કોંગ્રેસ પર લગાવેલા આક્ષેપો પાયા વિહોણા છે. પરંતુ અમે ભાજપ પર લગાવેલા આક્ષેપો સાચા ઠર્યા છે. અને હાર્દિક પટેલ ચુટણી નહી લડે કારણ કે તેની ઉમર નાની છે. પરંતુ દેશમાંથી કુશાસનનો સફાયો કરવામાં મદદ કરશે. ગુજરાતની જનતા ભાજપને પારખી ગઈ છે. હવે જનતા કુશાસનનો અંત લાવવા માંગે છે..