- બંને સાધ્વીઓને કોર્ટે આપ્યા શરતી જામીન
- મિર્ઝાપુર કોર્ટે આપ્યા સાધ્વીઓને જામીન
નિત્યાનંદ આશ્રમમાં બાળકોને ગોંધી રાખી બે યુવતીને ગુમ કરી દેવાના કેસમાં સાધ્વી પ્રાણપ્રિયા અને પ્રિયાતત્ત્વાએ કરેલી જામીન અરજીનો ચુકાદો જિલ્લા કોર્ટેમાં છેલ્લા ઘણા દિવસથી મુદતો પડી રહી હતી. આ કેસમાં આજે કોર્ટે બંને સાધ્વીઓને શરતી જમીન આપ્યા છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા ઘણા સમયથી સાબરમતી જેલમાં બંધ બન્ને સાધીકાઓને મેટ્રો કોર્ટ દ્વારા આજ રોજ જામીન આપવામાં આવ્યા છે. જેમાં કેટલીક શરતો મુકવામાં આવી છે. જે અનુસાર આ સધીકાઓએ 25000 ના બોન્ડ પર બંને સાધીકાઓને જમણી મળ્યા છે તો સાથે બંને સધીકાઓએ તેમના પાસપોર્ટ જમા કરાવવા પડશે. અને મહિનામાં બે વાર પોલીસ સ્ટેશનમાં હાજરી આપવા જેવી શરતો મુકવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, ઉલ્લેખનીય છે કે, હાથીજણમાં ચાલતા પાખંડી નિત્યાનંદ આશ્રમમાંથી બે બહેનો ગુમ થવા મામલે તપાસ સીબીઆઇને સોંપવા યુવતીઓના પિતા જનાર્દન શર્માએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી. જેમાં બાળકો સાથે ગેરવર્તન ના મુદ્દે આ બંને સાધીકાની ધરપકડ કરવામાં આવી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.