- ટ્રાફિક નિયમોનો ભંગ કરનારાઓની ખેર નહીં
- ટ્રાફિક પોલીસે ઈ-ચલણનાં દંડ પેટે 45 કરોડ વસૂલ્યા
- હજુ પણ 1.54 કરોડ રૂપિયાનો દંડ વસૂલવાનો બાકી
- 14 જેટલા વિસ્તારોમાં ટ્રાફિક પોલીસ યોજશે ડ્રાઈવ
અમદાવાદમાં કોરોના કાળ પછી બેદરકાર બનેલા શહેરીજનોને ચેતી જવાની જરૂર છે. કારણ કે હવે જો ટ્રાફિકનાં નિયમોનુ પાલન નહી કરો તો દંડ ભરવો પડશે. ટ્રાફિક વિભાગે નિયમોનો ભંગ કરતા શહેરીજનો સામે દંડાત્મક કાર્યવાહી શરૂ કરી છે. ચાલુ વર્ષે કોરોના કાળમાં થોડોક સમય માટે ઈ-ચલણ બંધ કરાયુ હતુ છતાં પણ પોલીસે 45 કરોડ રૂપિયા દંડ શહેરીજનો પાસે વસૂલ્યો છે.
આ પણ વાંચો – સાવધાન! / હવામાન વિભાગની ચેતવણી, દેશનાં આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ
કોરોનાની બીજી લહેર આવતા જ શહેરીજનો લોકડાઉન અને અનલોક વચ્ચે ઘરની બહાર હેલ્મેટ વિના નિકળતા જોવા મળી રહ્યા છે. ત્યારે હવે નિયમોનું પાલન ન કરવુ તમને પડી શકે છે ભારે, કારણ કે અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગે ઈ-ચલણ આપવાની કામગીરીને ફરી વાર પહેલાની જેમ વેગવાન બનાવી છે. હાલમાં રોજનાં 2 હજારથી 2500 ઈ–ચલણ ટ્રાફિકનાં નિયમોનુ ભંગ કરતા લોકોને મોકલવામાં આવી રહ્યા છે. જેથી હેલ્મેટ વિના, સીટબેલ્ટ પહેર્યા વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈડ વાહનો ચલાવનાર લોકો સામે પોલીસે ખાસ ઝુંબેશ શરૂ કરી છે. ટ્રાફિક વિભાગ દ્વારા શહેરમાં પૂર્વ અને પશ્ચિમ અમદાવાદનાં ટ્રાફિક ડીસીપીનાં 5-5 સ્કવોર્ડ બનાવવામાં આવ્યા છે, જે સ્કવોર્ડ અલગ-અલગ પોઈન્ટ ઉપર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણ ઉઘરાવવાની કામગીરી કરી રહી છે. ત્યારે 28મી જુલાઈની એક જ દિવસની વાત કરવામાં આવે તો એક દિવસમાં 2369 ઈ-ચલણ જનરેટ કરવામાં આવ્યા હતા, જેમાં દંડની રકમ 1.57 લાખ થાય છે. ત્યારે ચાલુ મહિને 19.87 લાખની ઈ-ચલણની દંડની રકમ વસૂલવામાં આવી છે, જ્યારે 44 લાખની રકમ હજૂ સુધી શહેરજનો પાસે વસૂલવાની બાકી છે.
આ પણ વાંચો – બેફામ ગુનાખોરી / હદ છે બાકી…વઢવાણમાં બુટ ભવાની મંદિરની લીધી તસ્કરોએ મુલાકાત
ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 45 કરોડ઼ રૂપિયા ટ્રાફિક વિભાગે ઈ-મેમોનાં દંડ તરીકે વસૂલ્યા છે. જ્યારે હજુ પણ 154 કરોડ રૂપિયાનાં દંડ વસૂલવાનાં બાકી છે. મહત્વનુ છે કે, શહેરમાં દરરોજ એક લાખથી વધુની રકમ દંડ સ્વરૂપે વસૂલવામાં આવે છે. ત્યારે હજૂ પણ અનેક શહેરીજનો રોડ રસ્તા પર હેલ્મેટ વિના, સીટ બેલ્ટ વિના તેમજ ત્રણ સવારી અને રોંગ સાઈટમાં વાહનો ચલાવતા જોવા મળે છે. ત્યારે આગામી દિવસમાં ટ્રાફિક વિભાગ POS મશીન સાથે રોડ પર ઉભી રહીને બાકી રહેલા ઈ-ચલણની રકમ લોકો પાસેથી વસૂલ કરશે.