RSS/ કાશી-મથુરા માટે રામમંદિર જેવા આંદોલનની જરૂર નથીઃ RSS

RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવકે કાશી અને મથુરાના મંદિરોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સ્પષ્ટ કર્યું છે કે આ બંને શહેરોના મંદિરો માટે રામજન્મભૂમિ જેવા આંદોલનની જરૂર નથી.

Top Stories India
Beginners guide to 30 કાશી-મથુરા માટે રામમંદિર જેવા આંદોલનની જરૂર નથીઃ RSS

RSSના સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે એટલે કે રાષ્ટ્રીય સ્વયંસેવકે કાશી અને મથુરાના મંદિરોનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમને સ્પષ્ટ કર્યું છે કે આ બંને શહેરોના મંદિરો માટે રામજન્મભૂમિ જેવા આંદોલનની જરૂર નથી. તેમને કહ્યું કે તમામ સમસ્યાઓ માટે સમાન પદ્ધતિ અપનાવી શકાય નહીં. રવિવારે હોસાબલેને સંઘના સરકાર્યવાહ તરીકે ફરીથી ચૂંટવામાં આવ્યા હતા.

હોસાબલેએ કહ્યું કે આ મામલો કોર્ટમાં હોવો જોઈએ. જાણકારી મુજબ, તેમને કહ્યું, ‘કોર્ટમાં (કાશી અને મથુરાના) કેસની સુનાવણી ચાલી રહી છે. અયોધ્યાનો નિર્ણય પણ કોર્ટ દ્વારા આવ્યો હતો. જો ન્યાયતંત્ર દ્વારા મામલો ઉકેલવામાં આવતો હોય તો તે સ્તરના આંદોલનની શું જરૂર છે?

 તેમને કહ્યું, ‘સંતો અને VHPમાં મથુરા અને કાશીને ફરીથી મેળવવાની માંગ ઝડપથી વધી રહી છે, પરંતુ દરેક સમસ્યાનો ઉકેલ એકસરખો ન હોઈ શકે. સામાજીક અને ધાર્મિક સંગઠનોનું નેતૃત્વ કરતા હિન્દુઓ સમયાંતરે આ મુદ્દાઓ ઉઠાવી શકે છે.

RSSની અખિલ ભારતીય પ્રતિનિધિ સભાએ રવિવારે હોસાબલેને ફરીથી સરકાર્યવાહ તરીકે ચૂંટ્યા. ‘X’ પર એક પોસ્ટમાં આ માહિતી આપતા RSSએ કહ્યું કે હોસાબલે 2021 થી સરકાર્યવાહ છે અને 2024 થી 2027 સુધીના સમયગાળા માટે આ પદ પર ફરીથી ચૂંટાયા છે. આરએસએસની ત્રણ દિવસીય અખિલ ભારતીય પ્રતિનિધિ સભા શુક્રવારે અહીંના રેશીમબાગ સ્થિત સ્મૃતિ ભવન સંકુલમાં શરૂ થઈ હતી. નાગપુરમાં સંઘના મુખ્યાલયમાં છ વર્ષ બાદ આ બેઠક યોજાઈ રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:Attack on BSF/ભારતમાં ઘૂસવાનો પ્રયાસ કરતા બાંગ્લાદેશીઓએ BSF પર હુમલો કર્યો, એક દાણચોરનું મોત

આ પણ વાંચો:Lok Sabha Elections 2024/PM મોદીની તસવીરો હટાવી દેવી જોઈએ, કાર્યકર્તાએ ચૂંટણી પંચને કાનૂની નોટિસ મોકલી

આ પણ વાંચો:Electoral Bonds Data/TMC અને JDUએ કરોડોના ડોનેશનથી હાથ ખંખેર્યા, કહ્યું- ખબર નથી કોણ આપી ગયું ઈલેક્ટોરલ બોન્ડ